વિદ્યાર્થીઓને તિથિ ભોજન, સ્વચ્છતા પ્રહરીઓને અન્નદાન, દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે મંદિરોમાં પૂજા-અર્ચના સહિતના કામો સાથે કેક કાપી લોકલાડીલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસની સ્વયંભૂ કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.28
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસને આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંઆનંદ-ઉત્સાહ અને ભાવપૂર્વક મનાવવામાં આવ્યો હતો. લોકોએ સ્વયંભૂ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરી કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
સંઘપ્રદેશની તમામ પંચાયતોમાં વિદ્યાર્થીઓને તિથિભોજન સ્વરૂપે કેળા અને બીજી વાનગીનું વિતરણ કરાયું હતું. સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોએ વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુની કામના કરી હતી.
પંચાયત અને નગરપાલિકાના સ્વચ્છતા પ્રહરી કર્મીઓને અનાજના પેકેટ આપી તેમને સન્માનિત કરાયા હતા. કેક કાપી પ્રશાસકશ્રીના જન્મ દિવસને મનાવાયો હતો.