October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસમાં 5 વર્ષના બી.એ. એલ.એલ.બી. અને 1 વર્ષના એલ.એલ.એમ. અભ્‍યાસક્રમમાં 25 ટકા બેઠકો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડોમિસાઈલ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અનામત છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ દ્વારા રાખોલી, દપાડા, ખાનવેલ, દમણ, ટોકરખાડા અને ગલોંડાની દસ સરકારી શાળાઓના ધોરણ 12ના 450થી વધુ વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ(ઘ્‍ન્‍ખ્‍વ્‍) માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓને કાયદાકીય ક્ષેત્રમા કારકિર્દી આગળ ધપાવવાની આવશ્‍યક માહિતીથી સજ્જ કરવાનો હતો. આ કેમ્‍પનો લાભ લેનારા શાળાના વિદ્યાર્થીઓએ કેમ્‍પસ ટૂરનો આનંદ માણ્‍યો અને જીએનએલયુના હાલના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો, અને કાનૂની અભ્‍યાસમાં મૂલ્‍યવાન આંતરદૃષ્ટિ મેળવી.
આ કેમ્‍પમાં કાયદાના શિક્ષણ બાદ કારકિર્દીના બહુવિધ વિકલ્‍પોની માહિતી આપવા સાથે કોમન લૉ એડમિશન ટેસ્‍ટવિશેની મુખ્‍ય વિગતો સમજાવવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસમાં 5 વર્ષના બી.એ. એલ.એલ.બી. અને 1 વર્ષના એલ.એલ.એમ. અભ્‍યાસક્રમમાં 25% બેઠકો યુ.ટી. ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે અનામત છે. જી.એન.એલ.યુ.ના યુવાનો માટે ગુણવત્તાયુક્‍ત કાયદાકીય શિક્ષણની પહોંચને આગળ વધારવામા તેમના સમર્થન બદલ સંઘપ્રદેશ પ્રશાસન અને ખાસ કરીને શિક્ષણ વિભાગનો આભાર વ્‍યક્‍ત કરે છે.
કાયદાના ઉચ્‍ચ અભ્‍યાસ માટે ઈચ્‍છુક સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓને વધુ મદદ કરવા માટે જી.એન.એલ.યુ. નવેમ્‍બરમાં ખાનવેલ અને સેલવાસ ખાતે મફત કોચિંગ સત્રો ઓફર કરશે, અને સાથે સાથે નિઃશુલ્‍ક વાંચન સામગ્રી પણ આપવામાં આવશે.

Related posts

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

vartmanpravah

Leave a Comment