(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: પારડી તાલુકાના અરનાલા ગામે સાર્વજનિક સ્મશાન ગૃહ ટ્રસ્ટ અરનાલાના ટ્રસ્ટીઓ દિનેશભાઈ ગોઈમા. હસમુખભાઈ, ધીરુભાઈ, ઠાકોરભાઈ વગેરેએ સ્મશાન ગૃહમાં સગડી અને સ્મશાન યાત્રા માટે નનામી (પાલખી) ની જરૂરિયાત અંગે ગોઈમા જિ.પંચાયત સભ્ય શૈલેશકુમાર આર. પટેલને રજૂઆત કરતા શૈલેશકુમાર પટેલે દાતા શ્રી ઘનશ્યામભાઈ રાણપરીયાના સહયોગથી સગડી અને નનામી (પાલખી) ની વ્યવસ્થા કરી આપતાઆજરોજ જિ.પંચાયત સભ્ય શૈલેશકુમાર પટેલ, દાતા શ્રી ઘનશ્યામભાઈના પ્રતિનિધિ કૌશિકભાઈ, તાલુકા પંચાયત સભ્ય શૈલેશકુમાર એસ. પટેલ, તા.ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઈ આહીર, પાટી સરપંચ જીતુભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. સાર્વજનિક સ્મશાન ગૃહ ટ્રસ્ટ અરનાલાએ જિ.પંચાયત સભ્ય, તા.પંચાયત સભ્ય અને દાતાઓનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.