Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

ધારાસભ્‍ય અનંત પટેલ અને કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરને મળ્‍યા : રેલવે રસ્‍તા ચાલુ કરવાનું આશ્વાસન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ રેલવે વિભાગે વિવિધ પબ્‍લિક અવર જવરના ત્રણ રસ્‍તાઓ બંધ કરી દેવામાંઆવ્‍યા છે. જેના પ્રત્‍યાઘાત સાથે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે તેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મેનેજરને રૂબરૂ મળી બંધ રસ્‍તા ખોલવાની ગંભીર રજૂઆત કરી હતી. રેલવે સત્તાવાળાએ ત્રણેય રસ્‍તા ખુલ્લા કરી દેવામાં આવશે તેવું આશ્વાસન કોંગ્રેસ આગેવાનોને આપવામાં આવ્‍યું હતું.
ધારાસભ્‍ય અને વર્તમાન લોકસભાની ચૂંટણી વલસાડ-ડાંગ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ રેલવે દ્વારા બંધ કરાયેલા ત્રણ રસ્‍તા ચાલુ કરવા માટે રેલવે મેનેજરની મુલાકાત લઈ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રેલવેએ બી.એસ.સી. સર્કલ, રેલવે કોલોની જતો યુડીપી હોટલ સામેનો અને આર.પી.એફ. રોડ આમ નાગરિકો માટે અવર જવર માટે ત્રણ રસ્‍તા બંધ કરી દીધા છે. તેથી સ્‍થાનિકો, વિદ્યાર્થીઓ, મુસાફરોને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે. આ સમસ્‍યા દૂર કરવા માટે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરની ગંભીરતા અંગેની રજૂઆત કરી હતી. ત્રણેય રસ્‍તા ચાલુ કરવા માટે રેલવે હકારાત્‍મકતા દાખવી હતી. ધારાસભ્‍યએ ચીમકી પણ આપી હતી કે આ રસ્‍તા ચાલું નહી કરવામાં આવે તો આંદોલન રેલવે સામે કરીશું.

Related posts

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment