March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

ધારાસભ્‍ય અનંત પટેલ અને કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરને મળ્‍યા : રેલવે રસ્‍તા ચાલુ કરવાનું આશ્વાસન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ રેલવે વિભાગે વિવિધ પબ્‍લિક અવર જવરના ત્રણ રસ્‍તાઓ બંધ કરી દેવામાંઆવ્‍યા છે. જેના પ્રત્‍યાઘાત સાથે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે તેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મેનેજરને રૂબરૂ મળી બંધ રસ્‍તા ખોલવાની ગંભીર રજૂઆત કરી હતી. રેલવે સત્તાવાળાએ ત્રણેય રસ્‍તા ખુલ્લા કરી દેવામાં આવશે તેવું આશ્વાસન કોંગ્રેસ આગેવાનોને આપવામાં આવ્‍યું હતું.
ધારાસભ્‍ય અને વર્તમાન લોકસભાની ચૂંટણી વલસાડ-ડાંગ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ રેલવે દ્વારા બંધ કરાયેલા ત્રણ રસ્‍તા ચાલુ કરવા માટે રેલવે મેનેજરની મુલાકાત લઈ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રેલવેએ બી.એસ.સી. સર્કલ, રેલવે કોલોની જતો યુડીપી હોટલ સામેનો અને આર.પી.એફ. રોડ આમ નાગરિકો માટે અવર જવર માટે ત્રણ રસ્‍તા બંધ કરી દીધા છે. તેથી સ્‍થાનિકો, વિદ્યાર્થીઓ, મુસાફરોને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે. આ સમસ્‍યા દૂર કરવા માટે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરની ગંભીરતા અંગેની રજૂઆત કરી હતી. ત્રણેય રસ્‍તા ચાલુ કરવા માટે રેલવે હકારાત્‍મકતા દાખવી હતી. ધારાસભ્‍યએ ચીમકી પણ આપી હતી કે આ રસ્‍તા ચાલું નહી કરવામાં આવે તો આંદોલન રેલવે સામે કરીશું.

Related posts

વલસાડમાં જયેષ્ઠ નાગરિક મંડળની વાર્ષિક સભા યોજાઈ: 75 વર્ષથી વધુ વયના પેન્‍શનર્સનું સન્‍માન કરાયુ

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah

Leave a Comment