March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: નેપાલ ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે વલસાડ જિલ્લાના પારડીના ફસાયેલા 9 યુવાનોને હેમખેમ રેસ્‍કયુ કરાવતા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, તમામ 9 યુવાનોને હેમખેમ નેપાલ સ્‍થિત ઇન્‍ડિયન એમ્‍બેસી ખાતે લવાયા હતા.
વલસાડ જિલ્લાના પારડી વિસ્‍તારના 9 યુવાનો નેપાલ ખાતે ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે પોતાની માલિકીના વાહનોમાં ગયા હતા. જ્‍યાં તેઓ ફસાઈ જતા આ અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને કરતા તેમણે ત્‍વરિત આ અંગે દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજીને સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી, જે બાદ દેશના ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાલ ખાતે ફસાયેલ તમામ 9 યુવાનોને ભારત સરકારની ઇન્‍ડિયન એમ્‍બેસી દ્વારા નેપાલ સરકાર સાથે સંપર્ક કરી તમામને રેસ્‍કયુ કરી તેમને નેપાલ સ્‍થિત ઈન્‍ડિયન એમ્‍બેસી ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્‍યા હતા.
વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા 9 યુવાનો (1)મિતેશ મોહનભાઈ ભંડારી,(2)મિતેશ સુરેશભાઈ પટેલ, (3)નિલેશ ઈશ્વરભાઈ પટેલ, (4) જીગરકુમાર ભરતભાઈ પટેલ, (5)જયનેશ હિરુભાઈ ભંડારી, (6)જયેશ ઠાકોરભાઈ પટેલ, (7)જિનલ શશીકાંતભાઈ રાઉત, (8)તુષાર કાંતિભાઈ પટેલ, (9)વિમલ અનિલભાઈ ભંડારી તેમની માલિકીની કારમાં યુવાનો ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શન કરવા માટે નેપાલ ખાતે ગયા હતા જ્‍યાં તેઓ સંજોગોવશ ફસાઈ જતા આ અંગે તેમણે અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને કરતા તેમણે સમગ્ર ઘટના અંગેની જાણ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહીજીને કરતા તેમણે નેપાલ સરકાર સાથે સીધો સંપર્ક કરી પારડીના તમામ 9 યુવાનોને રેસ્‍કયુ કરી હેમખેમ પરત નેપાલ સ્‍થિત ઈન્‍ડિયન એમ્‍બેસી ખાતે તમામ યુવાનોને લઈ જવામાં આવ્‍યા હતા. રેસ્‍કયુ કરાયેલા તમામ યુવાનોએ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કરી સાંસદશ્રી જોડે વીડિયો કોલ કરી તેમની લાગણીઓ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

દીવ ખાતે નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકને સફળ બનાવવા પ્રદેશના અધિકારીઓએ શરૂ કરેલા શ્રેષ્‍ઠ પ્રયાસો

vartmanpravah

નાનાપોંઢા અને ધરમપુર ખાતે બાગાયત વિભાગ વલસાડ દ્વારા ખેડૂત તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

Leave a Comment