April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: બાબાસાહેબ સર્કલ ઉપર ડો.ભીમરાવ આંબેડકરની નિર્વાણ તિથિ હોવાથી ભારત વર્ષ આજે તેમની આજે તેમની પુણ્‍યતિથિની આદરપૂર્વક ઉજવણી કરે છે તે અંતર્ગત ધરમપુરમાં ભાજપ પરિવાર દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાઉપર માળા અર્પણ કરી ભાજપ પરિવારે તેમની પુણ્‍યતિથિની ઉજવણી કરી હતી.
ભારતીય બંધારણના પ્રમુખ વાસ્‍તુકાર, સ્‍વતંત્ર ભારતના પ્રથમ કાનૂનમંત્રી મહાન સમાજ સુધારક ભારતરત્‍ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તા.06 ડિસેમ્‍બરે પુણ્‍યતિથિ હોવાથી ધરમપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા પુણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુર આંબેડકર સર્કલ સ્‍થિત ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્‍પાંજલી અને માળા અર્પણ કરવામાં આવ્‍યા હતા. ધરમપુરના ધારાસભ્‍ય અને વર્તમાન ચૂંટણી ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવિણસિંહ, પાલિકા પ્રમુખ જોશ્‍નાબેન દેસાઈ, કારોબારી અધ્‍યક્ષ રક્ષાબેન જાદવ, જયદિપ સોલંકી, મહેશ ગાયકવાડ, સંદિપભાઈ મળી ભાજપના હોદ્દેદારો, કાર્યકરો શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

Leave a Comment