Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: બાબાસાહેબ સર્કલ ઉપર ડો.ભીમરાવ આંબેડકરની નિર્વાણ તિથિ હોવાથી ભારત વર્ષ આજે તેમની આજે તેમની પુણ્‍યતિથિની આદરપૂર્વક ઉજવણી કરે છે તે અંતર્ગત ધરમપુરમાં ભાજપ પરિવાર દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાઉપર માળા અર્પણ કરી ભાજપ પરિવારે તેમની પુણ્‍યતિથિની ઉજવણી કરી હતી.
ભારતીય બંધારણના પ્રમુખ વાસ્‍તુકાર, સ્‍વતંત્ર ભારતના પ્રથમ કાનૂનમંત્રી મહાન સમાજ સુધારક ભારતરત્‍ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તા.06 ડિસેમ્‍બરે પુણ્‍યતિથિ હોવાથી ધરમપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા પુણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુર આંબેડકર સર્કલ સ્‍થિત ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્‍પાંજલી અને માળા અર્પણ કરવામાં આવ્‍યા હતા. ધરમપુરના ધારાસભ્‍ય અને વર્તમાન ચૂંટણી ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવિણસિંહ, પાલિકા પ્રમુખ જોશ્‍નાબેન દેસાઈ, કારોબારી અધ્‍યક્ષ રક્ષાબેન જાદવ, જયદિપ સોલંકી, મહેશ ગાયકવાડ, સંદિપભાઈ મળી ભાજપના હોદ્દેદારો, કાર્યકરો શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

Leave a Comment