Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને નવરાત્રીમાં ગુજરાતીઓ મનમુકીને ગરબે ઘૂમતા હોય છે. નવરાત્રીના તહેવારને લઇ ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે. અને કેટલાક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે. ત્‍યારે આ નવરાત્રી મહોત્‍સવને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્‍યારે ચાલુ વર્ષે નવરાત્રી મહોત્‍સવને લઈ આયોજકો પણ ખેલૈયાઓને ગરબા રમવા માટે અનુરૂપ મેદાન તૈયાર કરવા કામે લાગ્‍યા હતા. તો સતત વરસતા વરસાદને લઇ આયોજકોને આ ગ્રાઉન્‍ડ તૈયાર કરવામાં થોડો વિલંબ થયો હતો. જોકે વરસાદે વિરામ લેતા આયોજકોએ યુધ્‍ધના ધોરણે નવરાત્રીની તૈયારી શરૂ કરી હતી. જેમાં ચીખલી ઈટાલીયા હાઈસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર નવરાત્રીના આયોજકો દ્વારા ગ્રાઉન્‍ડ, સ્‍ટેજ, લાઇટિંગ સહીતની તૈયારી પૂર્ણ કરી નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપી ખેલૈયાઓ માટે ગ્રાઉન્‍ડ તૈયાર કરી દેવામાં આવ્‍યું હતું.
ચીખલીમાં નવરાત્રી પર્વને લઈ આયોજકો દ્વારા ગ્રાઉન્‍ડને આખરી ઓપ આપ્‍યો હતો. સાથે જ ગ્રાઉન્‍ડમાં કોઈઅનિચ્‍છનીય બનાવ ન બને માટે ગ્રાઉન્‍ડમાં સીસીટીવી કેમેરા, મેડિકલ સુવિધા, ફાયર ફાઇટર, સીસીટીવી રેકોર્ડ રૂમ સાથે જ ગરબા ગ્રાઉન્‍ડમાં પોલીસ હેલ્‍પ ડેસ્‍ક બનાવી નિગરાણી રાખવામાં આવશે. સાથે આયોજકો દ્વારા વ્‍યસન મુક્‍તિ માટે મુહિમ ઉપાડવામાં આવી છે.

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ઈનામોની વણઝારઃ અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ શૈલેષ પટેલ
અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ શૈલેષ પટેલ અને તેમની ટીમ દ્વારા આયોજિત મહાકાલ નવરાત્રીનું ઈટાલીયા હાઇસ્‍કૂલનું ગ્રાઉન્‍ડ તૈયાર થઈ ચૂકયું છે અને આ ગ્રાઉન્‍ડ તૈયાર કરવા માટે ખેલૈયાઓને કલાગુરૂઓ સાથે ચર્ચા કરીને ગ્રાઉન્‍ડ તૈયાર કરવામાં આવ્‍યું છે અને આગામી 10 દિવસ માટે ખેલૈયાઓને ઇનામોની વણઝાર કરવામાં આવનાર છે.

Related posts

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ-પ્રાયમરીના નાાન ભુલકાંઓનો ગ્રેજ્‍યુએશન ડે ઉજવાયો

vartmanpravah

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

Leave a Comment