October 14, 2025
Vartman Pravah
દીવ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાય અને ડેપ્‍યુટી સેક્રેટરી જતિન ગોયલના દિશા-નિર્દેશમાં ‘પોષણ માસ -2021’ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.09

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સાશિયલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડેપ્‍યુટી સેક્રેટરી શ્રી જતીન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દ્વારા સપ્‍ટેમ્‍બર-2021 ને ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો  છે.

‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી અંતર્ગત આજરોજ તા.09/09/2021 ના દિવસે ‘મેટરનિટી નુટ્રીશન’ એટલે માતળત્‍વ પોષણ પર, દીવ જિલ્લાની દરેક આંગણવાડી કાર્યકતા બહેનોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગર્ભધારણથી  પ્રસૂતિ સુધીના સમય દરમિયાન સગર્ભાસ્ત્રીએ પોષણ, પોષણ યુક્‍ત આહાર, વિટામિન્‍સ, પ્રોટીન, મિનરલ્‍સ લોહતત્‍વ અને યોગની સૌથી વધુ જરૂરત હોય છે તો આ વિશે વિગતવાર કેમ સમજાવી શકાય તેના ઉપર ડૉ.જાગળતિ સોલંકીએ સમજાવ્‍યું હતું.

આ સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાળ વિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર.જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં શ્રી  ચિરાગ શાહ (ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓર્ડીનેટર),  કળતિકા  ચુડાસમા (બ્‍લોક-કોઓડીનેટર) કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં કોવિદ-19ને ધ્‍યાનમાં રાખી દરેક નિયમોનું પાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

28મી ઓગસ્‍ટ, 2003ના પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોની યાદમાં મોટી દમણ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું કરેલું લોકાર્પણ

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

દીવમાં લાંગરેલી બોટમાં ગત રાત્રીએ લાગેલી આગઃ બંને બોટ બળીને ખાખ: ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રાએ આગની ઘટના બાબતે વણાંકબારા ખાતે બોટ માલિકો સાથે યોજેલી સમીક્ષા બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

Leave a Comment