Vartman Pravah
દીવ

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.09

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન કોળી સમાજનું રાષ્‍ટ્રીય કક્ષાનું એકમાત્ર સંગઠન છે આ સંગઠન દેશના 18 જેટલા રાજ્‍યમાં ચાલે છે. આ સંગઠન દેશભરના કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયેલા છે અને આ સંગઠન દેશમાં કોળી સમાજના રાજકીય સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ માટે કાર્યરત છે.

આ સંગઠનનાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોંવિદજી પણ રહી ચૂકયા છે અને તે દરમિયાન રાષ્‍ટ્રપતિ સાથે શ્રી મનુભાઈ ચાવડા પણ રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે કામગીરી કરી ચૂકયા છે. તાજેતરમાં રાજસ્‍થાનનાં અજમેર ખાતે યોજાયેલી રાષ્‍ટ્રીય કારોબારીમાં સુરતના વતની શ્રી અજીતભાઈ પટેલની રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે  સર્વસંમતિથી ચૂંટણી દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી.

ત્‍યારબાદ આ કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન શ્રી મનુભાઇ ચાવડાની રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ સંગઠન નાં 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્‍યારે આગામી દિવસોમાં આ સંગઠન નું સ્‍વર્ણિમ વર્ષની ઉજવણી પણ થવા જઈ રહી છે. આ સમયે શ્રી મનુભાઈ ચાવડાની નિમણુંક થતાં તેમની ભૂમિકા મહત્‍વપૂર્ણ રહેશે. તેમની નિમણૂકને અખિલ ભારતીય કોળી સમાજના તમામ હોદ્દેદારો અને આગેવાનો દ્વારા વધાવી અને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

ખરડપાડા પંચાયત દ્વારા ખખડધજ રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

vartmanpravah

Leave a Comment