September 1, 2026
Vartman Pravah
દીવ

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.09

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન કોળી સમાજનું રાષ્‍ટ્રીય કક્ષાનું એકમાત્ર સંગઠન છે આ સંગઠન દેશના 18 જેટલા રાજ્‍યમાં ચાલે છે. આ સંગઠન દેશભરના કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયેલા છે અને આ સંગઠન દેશમાં કોળી સમાજના રાજકીય સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ માટે કાર્યરત છે.

આ સંગઠનનાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોંવિદજી પણ રહી ચૂકયા છે અને તે દરમિયાન રાષ્‍ટ્રપતિ સાથે શ્રી મનુભાઈ ચાવડા પણ રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે કામગીરી કરી ચૂકયા છે. તાજેતરમાં રાજસ્‍થાનનાં અજમેર ખાતે યોજાયેલી રાષ્‍ટ્રીય કારોબારીમાં સુરતના વતની શ્રી અજીતભાઈ પટેલની રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે  સર્વસંમતિથી ચૂંટણી દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી.

ત્‍યારબાદ આ કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન શ્રી મનુભાઇ ચાવડાની રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ સંગઠન નાં 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્‍યારે આગામી દિવસોમાં આ સંગઠન નું સ્‍વર્ણિમ વર્ષની ઉજવણી પણ થવા જઈ રહી છે. આ સમયે શ્રી મનુભાઈ ચાવડાની નિમણુંક થતાં તેમની ભૂમિકા મહત્‍વપૂર્ણ રહેશે. તેમની નિમણૂકને અખિલ ભારતીય કોળી સમાજના તમામ હોદ્દેદારો અને આગેવાનો દ્વારા વધાવી અને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

દાનહના સીલીમાં સ્‍થિત કેમિકલ બનાવતી એસ્‍ટ્રીક્‍સ કંપનીને જિલ્લા કલેક્‍ટરે સીલ કરી: કંપની કયા કારણોસર સીલ કરવામાં આવી તેનો ફોડ પ્રશાસન પાડતું નથી

vartmanpravah

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

Leave a Comment