April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

1200 વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી તિરંગો, ગુજરાતનો નકશો અને અશોકસ્‍તંભની રચના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં 77માં સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે શહેરીજનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે વલસાડના હાલર સર્કિટ હાઉસથી તિથલ બીચ સુધી સાઈકલ રેલી કાઢવામાં આવી હતી. બાદમાં તિથલ સ્‍વામિનારાયણ મંદિર પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા હ્યુમન ઈન્‍ડિયા ફલેગ, ગુજરાતનો નકશો અને રાષ્‍ટ્રીય ચિホ અશોક સ્‍તંભ બનાવવા આવ્‍યો હતો. જેમાં એકતાના દર્શન થયા હતા.
તિથલમાં ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વલસાડના કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તેમજ સ્‍ટેમ્‍પ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્વેતાબેન પટેલ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. તેઓએ આ પ્રસંગે સન્‍માન અને ગૌરવની ભાવના ઉમેરી આઝાદી અને પ્રગતિ તરફ આપણા રાષ્‍ટ્રની યાત્રાને યાદ કરવાના મહત્‍વ પર ભાર મૂકયો હતો. આ ઉજવણીની વિશેષતા એ હતી કે, 1200 જેટલા વિદ્યાર્થીઓએ સુમેળભર્યા રંગોમાં સજ્જ થઈ માનવ પ્રતિકળતિરૂપી તિરંગો, ગુજરાતનો નકશો અને રાષ્‍ટ્રીય ચિન્‍હ અશોક સ્‍તંભની અદભૂત રચના કરી હતી.વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્‍થાનિક અધિકારીઓના સામૂહિક પ્રયાસથી એકતા, વિવિધતા અને દેશભક્‍તિના ભાવના દર્શન થયા હતા.

Related posts

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

Leave a Comment