Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ICDS વિભાગ દ્વારા આયોજીત ૭મા પોષણમાસ કાર્યક્રમની પૂર્ણાહુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: ૭મો પોષણમાહની ઉજવણીના થીમ મુજબ એનિમિયા ,પુરક ખોરાક,વૃધ્ધિ દેખરેખ, અને પોષણ ભી પઢાઇ ભી આ મુજબ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ,આઇ.સી.ડી.એસ શાખા,વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે પોષણમાસ પુર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમને તાલુકા પ્રમુખશ્રી મનોજભાઇ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી મિતેશભાઇ ,સેલ્બી હોસ્પીટલના બાળકોના પીડયાટ્રીસ્ટ ડૉ. નેહાબેન રાણા અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રી રીટાબેન સી. પટેલ દ્વારા દીપ પ્રાગત્ય કરવામાં આવેલ.
સેલ્બી હોસ્પીટલના બાળકોના પીડયાટ્રીસ્ટ ડૉ. નેહાબેન રાણા તરફથી કુપોષણ થવાના કારણો જણાવવામાં આવેલ અને સીડીપીઓ રીટાબેન સી. પટેલ તરફથી ICDSની વિવિધ યોજનાઓ અંગે અને રાધવાની પધ્ધતિ અને સ્વચ્છતા વિશે જણવવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આખા માસ દરમ્યાન વિવિધ થીમ મુજબ આંગણવાડી કાર્યકરો તેમજ ICDS સ્ટાફ મારફતે ગણેશ ઉત્સવ દરમ્યાન કિશોરી ઉજવણી દરમ્યાન, મંગળ દિવસે, શનિવાર તેમજ મમતા દિવસ દરમ્યાન PHC, CHC ના સંકલન થી સગર્ભા માતા,ધાત્રી માતા,કિશોરી,બાળકોની આરોગ્ય તપાસ, અને HB તપાસ કરાવવામાં આવેલ અને જેમનું HB વધુ હોય એવી કિશોરીઓને ઇનામ પણ આપવામાં આવેલ અને બાળ તંદુરસ્તી હરીફાઇ,વાનગી નિદર્શન,કિશોરી પ્રશ્નોતરી,રંગોળી હરીફાઇ,રેલી સ્વચ્છતા મિત્ર હરિફાઇ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ આમ વિવિધ પ્રવૃતિઓ કરવવામાં આવેલ.અને સગર્ભા – ધાત્રીમાતા તંદુરસ્તી હરિફાઇમાં પોષણ કીટ વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં કાર્યકરોની વાનગી હરીફાઇ યોજવામાં આવેલ જેમાં મિલેટ્સ અને THR માંથી બનતી વિવિધ વાનગીઓ બનવવામાં આવેલ જેમાથી ઘટક – ૧ ને THR માંથી બનતી વાનગીઓ અને ઘટક – ૨ ને મિલેટ્સ માંથી બનતી વાનગીઓ બનાવેલ જેમાં સેજા કક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે આવનાર બહેનોની ઘટક કક્ષાએ હરિફાઇ રાખવામાં આવેલ આવેલ જેમાંથી ઘટક – ૧ અને ઘટક – ૨ ના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે આવનાર બહેનોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી ઇનામ વિતરણ કરવામાં આવેલ.
આ પોષણમાહ તરીકે પોષણમાસ પુર્ણાહુતિ કાર્યક્રમમાં સપ્ટેમ્બર માસ દરમ્યાન કરેલ પ્રવૃતિ દ્વારા લોકોમાં વધુ જાગૃતિ જોવા મળે અને લોકો જંકફૂડના બદલે સારો પોષણ આહાર મેળવે એ હેતુથી એક પ્રયાસ કરવામાં આવેલ.
આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા આવેલ મહેમાનો, ICDS સ્ટાફ,તેમજ આંગણવાડી કાર્યકરો, સગર્ભા-ધાત્રી,કિશોરી તેમજ બાળકોનો આભારમાની કાર્યક્રમ પુર્ણ કરવામાં આવેલ.

Related posts

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

ધમડાચી-વિજલપુર કેનેરા બેંકનો બ્રાન્‍ચ મેનેજર લોન પાસ કરી આપવા પેટા રૂા.20 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment