March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ બનાવમાં એક મહિલા સહિત ત્રણ જેટલાનું મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના બામણવેલ પારસી ફળીયા ખાતે રહેતા મનીષ સોમાભાઈ રાઠોડ (ઉ.વ 34) જે પારસી ફળીયા પાસે ગુજરાતી સ્‍કૂલની પાછળ આવેલ નહેરમાં સવારના દસેક વાગ્‍યાના સમયે કપડા ધોવા માટે ગયો હતો. દરમ્‍યાન પોતાનો પગ અચાનક લપસી જતા નહેરના ઊંડા પાણીમાં પડી જતા ડૂબી જતાં જેનું મોત નીપજ્‍યું હતું. બનાવની ફરિયાદ સાવન કોલાભાઈ રાઠોડ (ઉ.વ.આ-24) એ કરી હતી.
જ્‍યારે બીજા બનાવમાં સુંથવાડ દીવાન ફળીયા ખાતે રહેતી મીનાક્ષીબેન વિપુલભાઈ પટેલ (ઉ.વ-35) પતિ વિપુલ સાથે રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર ચીખલી ખરીદી કરવા આવી હતી. દરમ્‍યાન પરત સુંથવાડ ઘરે જતી વેળા આલીપોર ભેંસાણીયા ફળીયા સર્વિસ રોડ ઉપર અચાનક મીનાક્ષી પટેલને ચક્કર આવતા અને મોટર સાયકલ પરથી નીચે પડતા માથાના ભાગે વાગતા સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલમાં ખસેડાતા જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેનીફરિયાદ પતિ વિપુલ રમેશભાઈ પટેલ (ઉ.વ-40) (રહે.સુંથવાડ દીવાન ફળીયા તા.ચીખલી) એ કરી હતી.
જ્‍યારે ત્રીજા બનાવમાં ચીખલીના હલધરું કામરેજ ખાતે રહેતા અમરદીપ સુરેશ પાટીલ જે અમદાવાદ ખાતે આવેલ મારુતિ એર સિસ્‍ટમ કંપની તથા ગ્રીન ટેક ઈલેક્‍ટ્રિકલ એન્‍ડ ઈલેક્‍ટ્રોનિક્‍સ કંપનીનું કામ કરતો હોય અને આ બંને કંપનીઓ ચીખલીના સુંથવાડ સ્‍થિત વારી કંપનીમાં કોન્‍ટ્રાકટ રાખેલ હોય જે કંપનીમાં સૂરજ કિશોર બાસકોડ તથા અમરદીપ સુરેશ પાટીલ સાથે વારી કંપનીના એઇએસ પ્‍લાન્‍ટમાં કામ કરી રહ્યા હતા. દરમ્‍યાન આશરે 25-ફૂટ ઉપર થાંભલા પર ચડીને પંખો ફિટ કરી રહ્યો હતો તે સમયે કંપનીના આઈ બીમમાં અમરદીપ પાટીલ નીચે પટકાતા ડાબા હાથ તથા ગળાના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ અમોલ નારાયણ પાટીલ (ઉ.વ-29) (રહે.સુરાયગામ તા.શીંગખેડા જી.ધૂલિયા, મહારાષ્‍ટ્ર) એ કરતા ઉપરોક્‍ત ત્રણેય ગુનાની તપાસ પીએસઆઇ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨: ગુજરાતના અધિકારીઓને નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

Leave a Comment