December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.20
આગામી 19મી મેના રોજ એસ.આઈ.એ.ના પ્રમુખ અને 12 એક્‍ઝિકયુટિવ કમીટી મેમ્‍બરની યોજનારી ચૂંટણી માટે આવતીકાલ 21મી એપ્રિલથી ફોર્મ વિતરણ અને ભરવાની પ્રક્રિયાનો પ્રારંભથશે જે 2જી મે સુધી ચાલશે. એસઆઈએની ચૂંટણી પ્રક્રિયા ન્‍યાય અને પારદર્શક રીતે પાર પાડવાની જવાબદારી માટે પૂર્વ પ્રમુખ શ્રી ઉદયભાઈ મારબલીની ચેરમેનશીપ હેઠળ ચાર સભ્‍યોની સ્‍ક્રુટિની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં શ્રી ઉદયભાઇ મારબલી સહિત અગ્રણી ઉદ્યોગપતિ ડો.આર.જે.સિંઘ, શ્રી અનુજભાઈ દેવરા અને શ્રી સ્‍વપનિલ પાટિલની પસંદગી કરવામાં આવી છે.
હાલમાં એસઆઈએની ચૂંટણીનું પરિણામ બિન હરીફ જાહેર થાય એવું અગ્રણી ઉદ્યોગપતિઓ વિચારી રહ્યા છે. 548 સભ્‍યોનું કદ ધરાવતુ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનમાં વહીવટમાં અનુભવી અને વગ ધરાવતા શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી જે.કે.રાય સહિતના ઉદ્યોગપતિઓ ચૂંટણી બિનહરીફ થાય એવા પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જ્‍યારે બીજી તરફ પ્રમુખ અને એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બર માટે આ ઉપરાંત પણ ઘણા ઉદ્યોગપતિઓ તક મળે એવું ઈચ્‍છી રહ્યા છે જેમાં શ્રી મૂળજીભાઈ કટારમલ, શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી રૂવાબ અલી ખાન, શ્રી સંજયભાઈ મારબલી, શ્રી ગૌતમભાઈ સિંગ, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી દામોદરભાઈ પુરોહિત, શ્રી નીતિનભાઈ ઓઝા, શ્રી હરીશભાઈ મુદ્રા, શ્રી કમલેશભાઈ વસવાની, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી મનિષભાઈ રાય, શ્રી પંકજભાઈ રાય, શ્રીમુકેશભાઈ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ પ્રમુખ અથવા એક્‍ઝિકયુટીવ કમિટી મેમ્‍બર માટે પસંદગી થઈ શકે છે એવી ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment