Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

વાપીના દરેક સમુદાય માટે અંબામાતા મંદિરની નવરાત્રી આકર્ષણનું કેન્‍દ્ર બનેલ છે

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં નવરાત્રી મહોત્‍સવ ચરમ સીમાએ ચાલી રહ્યો છે. જો કે જાહેર સાર્વજનિક નવરાત્રી મહોત્‍સવ એકમાત્ર જીઆઈડીસી સ્‍થિત અંબામાતા મંદિરનો છે. જ્‍યાં દરરોજ રાતે હજારો ભાવિકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે.
વાપીમાં જોકે આકર્ષનું કેન્‍દ્ર અને નવરાત્રીનું આયોજન રોટરી થનગનાટ છે પરંતુ મોંઘા પાસ અને પ્રોફેશનલ આયોજન હોવાથી આમ સામાન્‍ય જનતા માટે રોટરી થનગનાટના ગરબા જોવા માણવા દોહલ્‍યા છે. પરંતુ બીજી તરફ વાપી અંબામાતા મંદિરમાં પરંપરાગત રીતે થતું સાર્વજનિક નવરાત્રી મહોત્‍સવનું આયોજન આમ સામાન્‍ય લોકો મહત્ત્વનું અને આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે. ખાસ કરીને પરપ્રાંતિઓ માટે તો નવલું નજરાણું બની રહેલ છે. દરરોજ રાત્રે અકલ્‍પનિય માનવ મહેરામણ અંબામાતા મંદિરના ગરબા જોવા ઉમટી પડે છે. કોઈ ટિકિટ કે પાસ નહી તેથી સામાન્‍ય જનતા માટે અતિ સુલભ પડે છે. વિશાળ ગ્રાઉન્‍ડ, રોશનીથી શણગારેલ છે. મંદિર પણ શિખરો દૈદિપ્‍યમાન છે. વિશાળ જગ્‍યા હોવાથી વાપીમાં અંબામાતા મંદિરની નવરાત્રી ખુબ આકર્ષણ જમાવી રહી છે.

Related posts

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

પ્રમુખ ચંચળબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment