July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

વાપીના દરેક સમુદાય માટે અંબામાતા મંદિરની નવરાત્રી આકર્ષણનું કેન્‍દ્ર બનેલ છે

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં નવરાત્રી મહોત્‍સવ ચરમ સીમાએ ચાલી રહ્યો છે. જો કે જાહેર સાર્વજનિક નવરાત્રી મહોત્‍સવ એકમાત્ર જીઆઈડીસી સ્‍થિત અંબામાતા મંદિરનો છે. જ્‍યાં દરરોજ રાતે હજારો ભાવિકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે.
વાપીમાં જોકે આકર્ષનું કેન્‍દ્ર અને નવરાત્રીનું આયોજન રોટરી થનગનાટ છે પરંતુ મોંઘા પાસ અને પ્રોફેશનલ આયોજન હોવાથી આમ સામાન્‍ય જનતા માટે રોટરી થનગનાટના ગરબા જોવા માણવા દોહલ્‍યા છે. પરંતુ બીજી તરફ વાપી અંબામાતા મંદિરમાં પરંપરાગત રીતે થતું સાર્વજનિક નવરાત્રી મહોત્‍સવનું આયોજન આમ સામાન્‍ય લોકો મહત્ત્વનું અને આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે. ખાસ કરીને પરપ્રાંતિઓ માટે તો નવલું નજરાણું બની રહેલ છે. દરરોજ રાત્રે અકલ્‍પનિય માનવ મહેરામણ અંબામાતા મંદિરના ગરબા જોવા ઉમટી પડે છે. કોઈ ટિકિટ કે પાસ નહી તેથી સામાન્‍ય જનતા માટે અતિ સુલભ પડે છે. વિશાળ ગ્રાઉન્‍ડ, રોશનીથી શણગારેલ છે. મંદિર પણ શિખરો દૈદિપ્‍યમાન છે. વિશાળ જગ્‍યા હોવાથી વાપીમાં અંબામાતા મંદિરની નવરાત્રી ખુબ આકર્ષણ જમાવી રહી છે.

Related posts

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

vartmanpravah

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment