Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

દીવ ન.પા.ની ચૂંટણીમાં તમામ ઉમેદવારોને બિન હરિફ વિજેતા બનાવી સમરસ પાલિકાના નવા ઈતિહાસનું સર્જન કરવા પણ બુલંદ બનેલો લોકજુસ્‍સો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શિક્ષિત, પ્રમાણિક અને ખમતીધર લોકો આગળ આવે એવી ઈચ્‍છા આમલોકો દ્વારા વ્‍યક્‍ત થઈ રહી છે. પાલિકામાં ચૂંટણી નહીં પરંતુ વિવિધ સમાજના મોભેદારોની પસંદગીથી શાસન ચલાવવા ઉપર જોર આપવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દીવ જેવા ટચૂકડા શહેરનો ‘સ્‍માર્ટ સીટી’ યોજનામાં કરાયેલા સમાવેશથી વિકાસના નવા નવા દ્વાર ખુલી રહ્યાછે. તાજેતરમાં કેન્‍દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ દીવના વિકાસની મુક્‍ત મને પ્રશંસા કરી હતી ત્‍યારે વિકાસની રફતારને ઔર વધુ વિસ્‍તારવા દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શહેરના શિક્ષિત પ્રતિષ્‍ઠિત સેવાભાવી અને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવા ઉપર જનમત વ્‍યક્‍ત થઈ રહ્યો છે.
હાલમાં દીવ નગરપાલિકા ખાતે એક માત્ર ભાજપ જ સક્રિય પક્ષ હોવાથી તેમને ઉમેદવારોની પસંદગીમાં કાળજી રાખવા પણ લોકો દ્વારા આગ્રહ થઈ રહ્યો છે અને ચૂંટણીના સ્‍થાને દરેક ઉમેદવારોને બિનહરીફ વિજેતા બનાવી સમગ્ર નગરપાલિકાને સમરસ બનાવવા ઉપર પણ પાલિકાના બહુમતિ નાગરિકો પોતાનો મત પ્રગટ કરી રહ્યા છે. તેથી દીવ શહેરના પ્રતિષ્‍ઠિત નાગરિકોએ એક મંચ ઉપર આવી કોઈના પણ ભ્રામક પ્રચારમાં દોરવાયા વગર પ્રદેશ અને શહેરના હિતને પ્રાથમિકતા આપી પાલિકાને સમરસ બનાવવી જોઈએ એવી લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

રાજ્‍યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્‍થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્‍મીય સંવાદ

vartmanpravah

દાનહઃ ખેરારબારીના લોકો પાણી માટે ખનકી પર નિર્ભર

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

Leave a Comment