April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

પ્‍લાસ્‍ટીક થેલી, ફુલો, અગરબત્તીના ખોખા, શ્રીફળ વગેરેનો કચરો ખાડી કિનારે નાંખી પર્યાવરણને મોટું નુકશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: હાલમાં વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવ ચારેદિશામાં ધામધૂમથી ચાલી રહ્યો છે તે સાથે સાથે ગણેશ વિસર્જન પણ ઠેર ઠેર થઈ રહ્યા છે. દોઢ, ત્રણ, પાંચ અને સાત દિવસીય ગણેશ વિસર્જન પૂર્ણ થયા છે. આ દરમિયાન વાપી નજીક રાતા ખાડીમાં પણ અનેક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે ત્‍યારે વિસર્જન થયા બાદ ભક્‍તો અને લોકોએ ખાડી કિનારે ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ છે. જેથી પર્યાવરણને ભારે નુકશાનકર્તા સાબિત થાય તેવી સ્‍થિતિ નિર્માણ પામી છે.
વાપી વિસ્‍તાર અને ગ્રામ્‍યના અમુક ગણેશ મંડળોની મૂર્તિઓ રાતા ખાડીમાં વર્ષોથી વિસર્જન કરવામાં આવે છે તે મુજબ ગણેશ ચતુર્થી બાદ ક્રમશઃ વિસર્જન દરમિયાન રાતા ખાડી કિનારે ભાવિકોએ પ્‍લાસ્‍ટીક થેલી, ફુલો, અગરબત્તિ ખોખાનો વેસ્‍ટ ખડકી દીધો છે. ચોમેર ગંદકી દેખાઈ રહી છે. વિસર્જનની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ ભાવિકોએ કરવી રહી. ધર્મ કરતા ધર્માન્‍ધતાના વધુ દર્શન રાતા ખાડી કિનારે નિહાળાઈ રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

vartmanpravah

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતમાં ભાજપ હાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જિ.પં.ના પ્રમુખ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના ભગુભાઈ પટેલને તક મળવાની પ્રબળ સંભાવના

vartmanpravah

Leave a Comment