July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નંદવાલા હાઈવે ઉપર આર.એન.બી.ના અધિકારીની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

વલસાડ દિવેટમાં રહેતા એન્‍જિનિયર દિનેશ પટેલ કાર લઈ ગાંધીનગર જતા હતા ત્‍યારે અકસ્‍માત નડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ નંદવાલા હાઈવે ઉપર સતત બીજા દિવસે પણ અકસ્‍માતની ઘટના ઘટી હતી. આર.એન.બી.ના અધિકારી વલસાડથી ગાંધીનગર જઈ રહ્યા હતા ત્‍યારે નંદવાલા હાઈવે ઉપર કાર આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
વલસાડ દિવેટ ગામે રહેતા અને સુરત કામરેજમાં આર.એન.બી.માં આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર તરીકે ફરજ બજાવતા દિનેશ પટેલ મંગળવારે સવારે ઘરેથી તેમની હોન્‍ડા સીટી કાર નં.જીજે 21 સીડી 4051 લઈને ગાંધીનગર જવા નિકળ્‍યા હતા. કાર વલસાડ નંદવાલા હાઈવે ઉપરથી પસાર થતી હતી ત્‍યારે આગળ જતી ટ્રક સાથે કાર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. તે સમયે અમદાવાદ એલ.સી.બી.નો પોલીસ સ્‍ટાફ આરોપીને લઈ અમદાવાદ જતો હતો. અકસ્‍માત જોતા રોકાઈ ગયો હતો. 108 એમ્‍બ્‍યુલન્‍સ ફોન કરી કારમાં ફસાઈ ગયેલા ઘાયલ દિનેશ પટેલને બહારકાઢયા હતા. સારવાર માટે ખસેડાયા હતા. 108ના સ્‍ટાફને કારમાંથી રોકડા રૂપિયા-સોનાની ચેન અને લેપટોપ મળી આવ્‍યા હતા. 108ના પાયલોટ બીપીન પટેલ અને ઈએનટી માનસી પટેલએ પંચો, રૂબરૂ રૂરલ પોલીસમાં જમા કરાવીને માનવતા સહિત બેમીસાલ ઈમાનદારી પુરી પાડી હતી.

Related posts

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

Leave a Comment