December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ઓલગામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા પ્રોજેક્ટના વલસાડ તાલુકાના બીટીએમ (બ્લોક ટેકનોલોજી મેનેજર) કેવલ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ (૧) જીવામૃત, (૨) બીજામૃત, (૩) આચ્છાદન, (૪) વાફ્સા અને (૫) મિશ્ર પાક પધ્ધતિ વિશે સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત થાય તો તેવી રીતે નિયંત્રણ કરવુ તે માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રની માહિતી આપી હતી. બાગાયત ખાતાના વલસાડ તાલુકાના બાગાયત અધિકારી ડો.વિશાલ ગાર્ગે અને ઉમરગામ તાલુકાના બાગાયત અધિકારી મોહિનીબેન દ્વારા મહિલા સશક્તિકરણ હેતુ પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી પણ થઈ હતી.

Related posts

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

વાપીમાં રેલવે પુલ તોડવાની કામગીરીથી બજાર રોડ બંધ

vartmanpravah

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

ચીખલી પોલીસે બોડવાંકથી દારૂ સાથે એકની કરેલી ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah

Leave a Comment