October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

5 ફૂટ થી લઈ 40 ફૂટ ઊંચી રાવણના પુતળાઓ બનાવી પરંપરાગત
રીતે રાવણનું દહણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. વલસાડ શહેરમાં પાંચ ઉપરાંત સ્‍થળોએ રાવણ દહન લોકોએ કર્યું હતું.
પવિત્ર નવ દિવસની નવરાત્રી બાદ દશમા દિવસે વિજયા દશમીનો તહેવાર ભારતભરમાં યોજાય છે. અસત્‍ય ઉપરસત્‍યના વિજયનો પરંપરાગત આ ઉત્‍સવ વલસાડ શહેર અને ગ્રામ વિસ્‍તારમાં ઉજવવામાં આવ્‍યો હતો. વલસાડમાં, પારડીમાં, ધમડાચીમાં વૈષ્‍ણોદેવી મંદિર પરિસરમાં, નનકવાડા ગ્રામ પંચાયત કચેરી સામે, મોગરાવાડીના મોટા તળાવ અને ધરાસણામાં રાવણ દહન કાર્યક્રમો યોજાયા હતા. જેમાં તમામ વિસ્‍તારના હજારો લોકોએ રાવણના પુતળાઓનું દહન કરવામાં આવ્‍યું હતું. 5 થી લઈ 40 ફૂટ ઊંચા રાવણ બનાવાયા હતા. ભગવાન શ્રી રામની આરતી પૂજા કરીને ભાવિકોએ દશાનનના પૂતળાઓને સળગાવ્‍યા હતા. ધર્મ યુધ્‍ધમાં ભગવાન રામે રાવણનો સર્વનાશ કર્યો હતો. તે દિવસને વિજયા દશમી તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે.

Related posts

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

કુકેરી શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના આર્થિક યોગદાનથી નિર્માણ થનાર મેડિકલ સેન્‍ટર અને ગર્લ્‍સ હોસ્‍ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment