January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

5 ફૂટ થી લઈ 40 ફૂટ ઊંચી રાવણના પુતળાઓ બનાવી પરંપરાગત
રીતે રાવણનું દહણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. વલસાડ શહેરમાં પાંચ ઉપરાંત સ્‍થળોએ રાવણ દહન લોકોએ કર્યું હતું.
પવિત્ર નવ દિવસની નવરાત્રી બાદ દશમા દિવસે વિજયા દશમીનો તહેવાર ભારતભરમાં યોજાય છે. અસત્‍ય ઉપરસત્‍યના વિજયનો પરંપરાગત આ ઉત્‍સવ વલસાડ શહેર અને ગ્રામ વિસ્‍તારમાં ઉજવવામાં આવ્‍યો હતો. વલસાડમાં, પારડીમાં, ધમડાચીમાં વૈષ્‍ણોદેવી મંદિર પરિસરમાં, નનકવાડા ગ્રામ પંચાયત કચેરી સામે, મોગરાવાડીના મોટા તળાવ અને ધરાસણામાં રાવણ દહન કાર્યક્રમો યોજાયા હતા. જેમાં તમામ વિસ્‍તારના હજારો લોકોએ રાવણના પુતળાઓનું દહન કરવામાં આવ્‍યું હતું. 5 થી લઈ 40 ફૂટ ઊંચા રાવણ બનાવાયા હતા. ભગવાન શ્રી રામની આરતી પૂજા કરીને ભાવિકોએ દશાનનના પૂતળાઓને સળગાવ્‍યા હતા. ધર્મ યુધ્‍ધમાં ભગવાન રામે રાવણનો સર્વનાશ કર્યો હતો. તે દિવસને વિજયા દશમી તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે.

Related posts

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ OIDC દ્વારા વેલુગામમાં વિકસાવવામાં આવી રહેલ નવા ઉદ્યોગો માટેના પ્‍લોટની ફાળવણી હેતુ ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગ સચિવ ગૌરવસિંહ રાજાવતે કરેલી સલાહ-મસલત

vartmanpravah

કપરાડાના પ્રગતિશીલ યુવા ખેડૂતનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

vartmanpravah

Leave a Comment