Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

  • 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા ‘કહીં ખુશી, કહીં ગમ’નો માહોલ

  • શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે ગરમાયેલું દાદરા નગર હવેલીનું રાજકારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરવાનો અને 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા પ્રદેશમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ સર્જાયો છે. છૂટા કરાયેલા 257 જેટલા શિક્ષકો છેલ્લા 15 વર્ષથી નોકરી કરી રહ્યા હતા અને છેવટે તેમને ઘરનો રસ્‍તો દેખાડાતા કોરોના કાળમાં તેમના પરિવાર માટે જીવનનિર્વાહ કરવાનો પણ મોટો પ્રશ્ન સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ વિભાગે કલમના એક ગોદાથી પરફોર્મન્‍સ એવ્‍યુલેશન ટેસ્‍ટ(પેટ)માં ગેરહાજર રહેલા અને 40 માર્ક્‍સ કરતા ઓછા ગુણાંક લાવેલા શિક્ષકોને કેટ-મુંબઈ બેંચના 29મી ઓક્‍ટોબર,2021ના આદેશ મુજબ નિર્ણય લઈ છૂટા કરાયા હોવાનું સમગ્ર શિક્ષા વિભાગના સ્‍ટેટ પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી નિલેશ ગુરવે પોતાના આદેશમાં જણાવ્‍યું છે.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સેલવાસની નમો મેડિકલ કોલેજ અને નર્સિંગ તથા એલાઈડ હેલ્‍થ સાયન્‍સના વિદ્યાર્થીઓનો સમર્પણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment