November 17, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

  • 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા ‘કહીં ખુશી, કહીં ગમ’નો માહોલ

  • શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે ગરમાયેલું દાદરા નગર હવેલીનું રાજકારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરવાનો અને 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા પ્રદેશમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ સર્જાયો છે. છૂટા કરાયેલા 257 જેટલા શિક્ષકો છેલ્લા 15 વર્ષથી નોકરી કરી રહ્યા હતા અને છેવટે તેમને ઘરનો રસ્‍તો દેખાડાતા કોરોના કાળમાં તેમના પરિવાર માટે જીવનનિર્વાહ કરવાનો પણ મોટો પ્રશ્ન સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ વિભાગે કલમના એક ગોદાથી પરફોર્મન્‍સ એવ્‍યુલેશન ટેસ્‍ટ(પેટ)માં ગેરહાજર રહેલા અને 40 માર્ક્‍સ કરતા ઓછા ગુણાંક લાવેલા શિક્ષકોને કેટ-મુંબઈ બેંચના 29મી ઓક્‍ટોબર,2021ના આદેશ મુજબ નિર્ણય લઈ છૂટા કરાયા હોવાનું સમગ્ર શિક્ષા વિભાગના સ્‍ટેટ પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી નિલેશ ગુરવે પોતાના આદેશમાં જણાવ્‍યું છે.

Related posts

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment