April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

  • 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા ‘કહીં ખુશી, કહીં ગમ’નો માહોલ

  • શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે ગરમાયેલું દાદરા નગર હવેલીનું રાજકારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરવાનો અને 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા પ્રદેશમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ સર્જાયો છે. છૂટા કરાયેલા 257 જેટલા શિક્ષકો છેલ્લા 15 વર્ષથી નોકરી કરી રહ્યા હતા અને છેવટે તેમને ઘરનો રસ્‍તો દેખાડાતા કોરોના કાળમાં તેમના પરિવાર માટે જીવનનિર્વાહ કરવાનો પણ મોટો પ્રશ્ન સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ વિભાગે કલમના એક ગોદાથી પરફોર્મન્‍સ એવ્‍યુલેશન ટેસ્‍ટ(પેટ)માં ગેરહાજર રહેલા અને 40 માર્ક્‍સ કરતા ઓછા ગુણાંક લાવેલા શિક્ષકોને કેટ-મુંબઈ બેંચના 29મી ઓક્‍ટોબર,2021ના આદેશ મુજબ નિર્ણય લઈ છૂટા કરાયા હોવાનું સમગ્ર શિક્ષા વિભાગના સ્‍ટેટ પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી નિલેશ ગુરવે પોતાના આદેશમાં જણાવ્‍યું છે.

Related posts

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

vartmanpravah

દાનહની કિલવણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા કે ત્રીજા હપ્તાની બાકી રકમ તાત્‍કાલિક ચૂકવવા અપાયેલી સૂચના

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment