(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14:
દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મુખ્ય રસ્તાઓ પણ ચંદ્રભૂમિ જેવા બની ગયા છે. સેલવાસમાં 172એમએમ 6.88 ઇંચ વરસાદ થયો છે ખાનવેલ વિસ્તારમાં 191.1 એમએમ, 7.52 ઈંચ વરસાદ પડયો છે. સીઝનનો કુલ વરસાદ સેલવાસનો 2020.4 એમએમ 79.54 ઇંચ થયો છે અને ખાનવેલ વિસ્તારનો 2191.4 એમએમ 86.28 ઈંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.20 મીટર છે ડેમમાં પાણીની આવક 85919 કયુસેક અને પાણીની જાવક 64419 કયુસેક છે. ડેમમાથી પાણી છોડવાને કારણે સેલવાસ દમણગંગા નદી કિનારે રિવરફ્રન્ટ પર પાણી ભરાઈ ગયા હતા. બપોર પછી વરસાદનું પ્રમાણ ધીમુ પડતા કુત્રિમ તળાવમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવાની પ્રશાસન દ્વારા મંજુરી આપવામાં આવી હતી.