(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લામાં ધરમપુરના જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં કે.કે.એસ.વી. ચેરીટેબલ ટ્રસ્ટ, જામલીયા દ્વારા સંચાલિત 2 વર્ષથી શરૂઆત કરવામાં જેમાં ધોરણ 3 થી 12 ધોરણ ના 38 વિદ્યાર્થીઓ રહે છે. વાપીના હરીશ આર્ટના પ્રેરણાદાયી પ્રયાસ થકી જામલીયા ગામની શ્રમ આશ્રમ પહોંચી લંડન પરિવારના રક્ષાબેન નવીનભાઈ શાહ અને નવીનભાઈ એમ શાહની પુણ્યતિથિએ આદિવાસી ક્ષેત્રમાં ગુજરાત બોર્ડરના નિરાધાર જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.
વાપીના હરીશભાઈ પટેલ, હિતેનભાઈ સુરેશભાઇ સાવલા, યોગેશભાઈ રતિલાલ દોડિયા, પરેશભાઈ મગનલાલ શાહ, દિવ્યેશભાઈ મગનલાલ શાહ, સતિષભાઈ પટેલ, નિલેશભાઈ પટેલની ટિમ પહોંચી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ માટે જરૂરીમાર્ગદર્શન આપવા આવ્યું હતું. પ્રાથમિક જરૂરિયાત અંગે માહિતી મેળવી દાતાઓના સહયોગ દ્વારા મદદરૂપ થવાની ખાતરી આપી હતી.