December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: ગાંધીનગર સ્‍થિત આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી દ્વારા પ્રેરિત અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા તા.09/02/2023ને ગુરૂવારે સવારે 10.00 થી 3.00 કલાક દરમ્‍યાન કપરાડા તાલુકાના સુખાલા ગામમાં સાંઈધામ (ગાર્ડન) હટવાળા ફળિયા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે કાન, નાક, ગળા, પેટના રોગ, છાતીના રોગો, સાંધાના રોગો, નાના બાળકોના કળમિ રોગો તથા ડાયાબિટિસ, થાઈરોઈડ, પથરી, હરસ-મસા સંબંધિત સર્વે રોગોની વિનામુલ્‍યે તપાસ કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન પણ સ્‍થળ ઉપર જ આપવામાં આવશે. જેથી ગ્રામજનોને બહોળી સંખ્‍યામાં કેમ્‍પના સ્‍થળે ઉપસ્‍થિત રહી લાભ લેવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah

વલસાડની રોણવેલ 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બીનવાડા ગામની મહિલાની 108માં સફળ ડિલેવરી

vartmanpravah

દમણ-દીવના ઉદ્યોગોના નવજીવન માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

Leave a Comment