(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: ગાંધીનગર સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી દ્વારા પ્રેરિત અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા તા.09/02/2023ને ગુરૂવારે સવારે 10.00 થી 3.00 કલાક દરમ્યાન કપરાડા તાલુકાના સુખાલા ગામમાં સાંઈધામ (ગાર્ડન) હટવાળા ફળિયા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે કાન, નાક, ગળા, પેટના રોગ, છાતીના રોગો, સાંધાના રોગો, નાના બાળકોના કળમિ રોગો તથા ડાયાબિટિસ, થાઈરોઈડ, પથરી, હરસ-મસા સંબંધિત સર્વે રોગોની વિનામુલ્યે તપાસ કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન પણ સ્થળ ઉપર જ આપવામાં આવશે. જેથી ગ્રામજનોને બહોળી સંખ્યામાં કેમ્પના સ્થળે ઉપસ્થિત રહી લાભ લેવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.