(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 590 કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 193 નમૂનાઓલેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 309 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતુ.જેમા આજે 2496લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમા પ્રથમ ડોઝ 370980અને બીજો ડોઝ 85127વ્યક્તિઓને આપવામા આવ્યો છે ટોટલ456107લોકોને વેક્સીન આપવામા આવી છે.