August 31, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૧૪
ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી સહિત ઉપરવાસમાં સતત વરસાદને પગલે લોકમાતાઓમાં પુરની સ્થિતિ યથાવત રહેવા પામી હતી. ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
ચીખલી તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘ સવારી યથાવત રહેવા પામી છે. ધીમીધારે નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. રાત્રિ દરમ્યાન પણ ચીખલી તથા ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને ખરેરા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીમાં ચીખલીમાં ૧૪-ફૂટ જેટલી સપાટી ઍ પાણી વહી રહ્ના હતા.છેલ્લા તબક્કામાં ચોમાસુ જામવા પામ્યું છે.તાલુકામાં વધુ ૨.૫૨ ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ ૫૩.૮૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ફડવેલ ગામના ખોલી ફળીયામાં વહેલી સવારે છ ઍક વાગ્યાના અરસામાં મનુભાઈ નિશાભાઈ પટેલનું મકાન અચાનક જમીનદોસ્ત થતા ભરચોમાસે આ શ્રમજીવી પરિવારે છત ગુમાવતા મુશ્કેલીમાં મુકાયો હતો. શ્રમજીવી પરિવારનું આ કાચું મકાન તૂટવાનો અણસાર આવી જતા પરિવારના સભ્યો સમય સૂચકતા વાપરી ઘરની બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ અનાજ સહિત ઘરમાંની તમામ ચીજવસ્તુ પલળી જવા પામી હતી. સાથે છતના નળીયા પણ ભુક્કો થઈ જતા આ શ્રમજીવી પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ પટેલ, નાયબ ટીડીઓ શ્રી બી.જી.સોલંકી, ઍપીઍમસીના ડિરેકટર શ્રી ચીમનભાઈ સહિતના ધસી જઈ નુકશાની અંગેનો સર્વે કરાવી પંચકયાસ સહિતની તજવીજ હાથ ધરી હતી.

Related posts

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment