April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

મોબાઈલ ટ્રેસીંગની મદદથી સુરત અને ભુસાવલ આર.પી.એફ.ની
મદદથી ચારેય ટ્રેનમાં મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપીના એક વિસ્‍તારમાં રહેતી બે સગી બહેન સહિત અન્‍ય બે વિદ્યાર્થીઓ ઘરેથી સ્‍કૂલમાં જવાનું જણાવી દિલ્‍હી ફરવા ઉપડી ગયાનો ચોંકાવનારા બનાવે ત્રણ-ત્રણ પરિવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંતે રેલવે પોલીસની મદદથી ચારેય વિદ્યાર્થીઓને દિલ્‍હી જતી સાલીમાર એક્‍સપ્રેસ ટ્રેનમાંથી ભુસાવલ સ્‍ટેશને ઝડપાતા તમામ વિદ્યાર્થીઓને શુક્રવારે રાતે પોલીસ વાપી લઈ આવીહતી.
વાપીના ચાલી વિસ્‍તારમાં રહેતી સગી બે સહિત અન્‍ય પડોશી એક બહેનપણી સાંજે ઘરે નહી આવતા વાલીઓએ ટાઉન પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન ચોથી એક વિદ્યાર્થીની પણ ઘરેથી લાપત્તા હતી. જેની પાસે મોબાઈલ હોવાની પોલીસને જાણ થતા ફોન ટ્રેસીંગ કરી પોલીસે લોકેશન મેળવ્‍યું હતું. પ્રથમ સુરત સ્‍ટેશને સી.સી.ટી.વી.ને દેખાઈ હતી. તે પછી ભુસાવલ સ્‍ટેશને શાલીમાર ટ્રેનમાં દિલ્‍હી જઈ રહી હોવાની આર.પી.એફ. સુરત અને નંદુરબાર આર.પી.એફ. એકશનમાં આવી હતી. પરંતુ ટ્રેન નંદુરબારથી નિકળી ગઈ હતી તેથી ભુશાવલમાં ચેકીંગ કરીને ચારેય વિદ્યાર્થીનીઓને નીચે ઉતારવામાં આવી હતી. વાપી પોલીસને જાણ કરતા વાપી પોલીસે ભુસાવલ પહોંચીને ચારેય વિદ્યાર્થીનીઓને ભુસાવલથી શુક્રવાર રાતે વાપી લાવી હતી અને વાલીઓને સુપરત કરાઈ હતી. સમાજ માટે લાલબત્તી સમાન બનાવે સૌ કોઈને હચમચાવી દીધા હતા.

Related posts

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

Leave a Comment