March 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નવનિર્મિત રાજ નિવાસ પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્‍ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન નવનિર્મિત રાજ નિવાસ, પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્‍ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા.
આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોનું જીવન-ધોરણ સુધારી તેમને ધંધા-રોજગારની વિપુલ તક મળે એ માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અંગત રસ લઈ વિવિધ પ્રવાસન પ્રકલ્‍પોના વિકાસનું આયોજન હાથ ધર્યું છે. જેની કડીમાં તેમણે આજે પેરેડાઈઝ હટ સીવીડ કલ્‍ટીવેટ સાઈટ તથા નવનિર્મિત રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમાં પ્રોજેક્‍ટને પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

Related posts

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

દમણમાં પડેલા પહેલાં વરસાદથી સર્જાયેલી ઠંડકઃ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડશે

vartmanpravah

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment