પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નવનિર્મિત રાજ નિવાસ પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 15
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન નવનિર્મિત રાજ નિવાસ, પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોનું જીવન-ધોરણ સુધારી તેમને ધંધા-રોજગારની વિપુલ તક મળે એ માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અંગત રસ લઈ વિવિધ પ્રવાસન પ્રકલ્પોના વિકાસનું આયોજન હાથ ધર્યું છે. જેની કડીમાં તેમણે આજે પેરેડાઈઝ હટ સીવીડ કલ્ટીવેટ સાઈટ તથા નવનિર્મિત રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
Previous post