October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

રાજભા ગઢવીએ એક કાર્યક્રમમાં આદિવાસી વિરુદ્ધ આપત્તીજનક ટિપ્‍પણી કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: આજરોજ તા.25/10/2024 ના દિને ધરમપુર ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી વલસાડ અને પી.આઈ. શ્રી ધરમપુરને રાજભા ગઢવી પર એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદદાખલ કરવા બાબતે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા ફરિયાદ કરવામાં આવી રાજભા ગઢવી દ્વારા આદિવાસી સમાજ માટે જાહેર મંચ પરથી જંગલી શબ્‍દનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે જેને લઇ આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગુજરાતના ડાંગ જિલ્લામાંથી પસાર થાય તો ત્‍યાંના જંગલીઓ કપડાં પણ લૂંટી લે છે એવુ આદિવાસી સમાજની લાગણી દુભાય એવુ ઈરાદા પૂર્વક ટીપણી કરેલ હોઈ ગુજરાત તથા ડાંગ, ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્‍તારમાં બહારથી અનેક લોકો ફરવા માટે આવતા હોય છે પરંતુ અમારા આદિવાસી લોકોએ આજદિન સુધી કોઈના કપડા કાઢી લીધા નથી. અમારા લોકો ભલે ગરીબ હોય નાગલીની રોટલી અને ચટણી ખાઈને જીવે છે પરંતુ આજદિન સુધી કોઈના કપડાં કાઢી લીધા નથી. માન્‍ય સુપ્રીમ કોર્ટે પણ કીધું છે આદિવાસી સમાજ જ આ દેશનો મૂળ માલિક છે. બીજા બધા બહારથી આવેલા છે. એટલે આ દેશનો મૂળ માલિક આદિવાસી સમાજ વિશે જંગલી શબ્‍દનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. જેથી આખા આદિવાસી સમાજની માંગણી છે કે આ રાજભા ગઢવી પર એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે જે વ્‍યક્‍તિ લોકડાયરો કરી એક સમાજને ઉંચા બતાવવા માટે બીજા સમાજને નીચો બતાવવાની કોશિશ જાહેર મંચ પરથીકરી છે જે ચલાવી લેવામાં નહિ આવે નહીં તો આગામી દિવસોમાં આખો આદિવાસી સમાજ રસ્‍તા પર ઉતરશે અને આદિવાસી વિસ્‍તારના જંગલોમાં બહારથી ફરવા માટે આવતા લોકો પર આદિવાસી સમાજ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્‍યાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના હિતેચ્‍છુઓ ફરિયાદ આપવામાં આવી હતી.

Related posts

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

ચીખલી તથા આસપાસના ગામોમાં સ્‍વચ્‍છતા માટે તંત્રના અનેક પ્રયાસો બાદ પણ કચરો ફેંકી ગંદકી ફેલાવતા 19 જેટલા સ્‍થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્‍યો

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

વાપીની બાયર કંપનીની સ્‍ટાફ બસને અકસ્‍માત નડયો : 16 કર્મચારીઓ ઘાયલ

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

vartmanpravah

Leave a Comment