April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

રાજભા ગઢવીએ એક કાર્યક્રમમાં આદિવાસી વિરુદ્ધ આપત્તીજનક ટિપ્‍પણી કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: આજરોજ તા.25/10/2024 ના દિને ધરમપુર ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી વલસાડ અને પી.આઈ. શ્રી ધરમપુરને રાજભા ગઢવી પર એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદદાખલ કરવા બાબતે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા ફરિયાદ કરવામાં આવી રાજભા ગઢવી દ્વારા આદિવાસી સમાજ માટે જાહેર મંચ પરથી જંગલી શબ્‍દનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે જેને લઇ આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગુજરાતના ડાંગ જિલ્લામાંથી પસાર થાય તો ત્‍યાંના જંગલીઓ કપડાં પણ લૂંટી લે છે એવુ આદિવાસી સમાજની લાગણી દુભાય એવુ ઈરાદા પૂર્વક ટીપણી કરેલ હોઈ ગુજરાત તથા ડાંગ, ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્‍તારમાં બહારથી અનેક લોકો ફરવા માટે આવતા હોય છે પરંતુ અમારા આદિવાસી લોકોએ આજદિન સુધી કોઈના કપડા કાઢી લીધા નથી. અમારા લોકો ભલે ગરીબ હોય નાગલીની રોટલી અને ચટણી ખાઈને જીવે છે પરંતુ આજદિન સુધી કોઈના કપડાં કાઢી લીધા નથી. માન્‍ય સુપ્રીમ કોર્ટે પણ કીધું છે આદિવાસી સમાજ જ આ દેશનો મૂળ માલિક છે. બીજા બધા બહારથી આવેલા છે. એટલે આ દેશનો મૂળ માલિક આદિવાસી સમાજ વિશે જંગલી શબ્‍દનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. જેથી આખા આદિવાસી સમાજની માંગણી છે કે આ રાજભા ગઢવી પર એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે જે વ્‍યક્‍તિ લોકડાયરો કરી એક સમાજને ઉંચા બતાવવા માટે બીજા સમાજને નીચો બતાવવાની કોશિશ જાહેર મંચ પરથીકરી છે જે ચલાવી લેવામાં નહિ આવે નહીં તો આગામી દિવસોમાં આખો આદિવાસી સમાજ રસ્‍તા પર ઉતરશે અને આદિવાસી વિસ્‍તારના જંગલોમાં બહારથી ફરવા માટે આવતા લોકો પર આદિવાસી સમાજ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્‍યાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના હિતેચ્‍છુઓ ફરિયાદ આપવામાં આવી હતી.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ અંતર્ગત આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે રમતોત્‍સવનું આયોજનઃ પુરૂષો અને મહિલાઓ માટે ક્રિકેટ તથા દોરડાખેંચ જેવી રમતો દ્વારા ફેલાવેલી ખેલદિલીની ભાવના

vartmanpravah

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment