January 22, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

મુંબઈ-ઈન્‍દોર જતી એક્‍સપ્રેસ ટ્રેનના કોચ એસ-3માં ધુમાડો દેખાતા ટ્રેનને ડુંગરી નજીક થોભાવી મરામત બાદ રવાના કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વલસાડ સ્‍ટેશનને શનિવારે મોડી રાતે રાબેતા મુજબ બરોડા એક્‍સપ્રેસ ટ્રેન રવાના બાદ કુંડી ફાટકમેને ટ્રેનના ડબ્‍બામાંથી ધુમાડા નિકળતા જોતા તુરંત ડુંગરી સ્‍ટેશન માસ્‍ટરને જાણ કરી હતી. ટ્રેનને ડુંગરી થોભાવી દેવાઈ હતી. વલસાડથી આવેલ ટેક્‍નીકલ સ્‍ટાફે મરામર કરી એક કલાક બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. ડબ્‍બા નીચેના પૈડાના લાઈનર જામ થઈ જતા ધુમાડો શરૂ થયો હતો. ફાટકમેનની સમય સૂચકતા આધિન મોટી દુર્ઘટના થતા પહેલા ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ઈન્‍દરો જતી બરોડો એક્‍સપ્રેસ ટ્રેન વલસાડ સ્‍ટેશને થોભી હતી. ત્‍યારબાદ ટ્રેન રાબેતા મુજબ રવાના થઈ હતી. થોડાક સમય બાદ કુંડી ફાટક મેન ક્રોસ કરી હતી ત્‍યારે ફાટકમેને ટ્રેનના એક ડબ્‍બા નીચેધુમાડા આવતા જોયા, તુરંત ડુંગરી રેલ્‍વે માસ્‍ટરને તેણે જાણ કરી દેતા ટ્રેન અટકાવી દેવાઈ હતી. ડુંગરી સ્‍ટેશન માસ્‍ટર ઈમરજન્‍સીની જાણ વલસાડ સ્‍ટેશને કરી દેતા તુરંત રેલ્‍વે અધિકારીઓ ટેક્‍નીકલ સ્‍ટાફ સાથે દુર્ઘટના યાન રવાના થઈ હતી. ડુંગરી સ્‍ટેશન ઉપર ટ્રેનને ચેક કરતા પૈડાના લાઈનર જામ થઈ રહ્યા હતા. તેથી ધુમાડો આવતો હતો. એક કલાકની મરામત બાદ ટ્રેન રવાના થઈ હતી. દરમિયાન બરોડા તરફ જતો ટ્રેન વહેવાહ એક કલાક ખોરવાયો હતો.

Related posts

ખાનવેલ બિરસા ખાતે મુંડા શાળામાં જિલ્લા સ્‍તરીય વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્‌ઘાટન

vartmanpravah

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

Leave a Comment