October 21, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

મુંબઈ-ઈન્‍દોર જતી એક્‍સપ્રેસ ટ્રેનના કોચ એસ-3માં ધુમાડો દેખાતા ટ્રેનને ડુંગરી નજીક થોભાવી મરામત બાદ રવાના કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વલસાડ સ્‍ટેશનને શનિવારે મોડી રાતે રાબેતા મુજબ બરોડા એક્‍સપ્રેસ ટ્રેન રવાના બાદ કુંડી ફાટકમેને ટ્રેનના ડબ્‍બામાંથી ધુમાડા નિકળતા જોતા તુરંત ડુંગરી સ્‍ટેશન માસ્‍ટરને જાણ કરી હતી. ટ્રેનને ડુંગરી થોભાવી દેવાઈ હતી. વલસાડથી આવેલ ટેક્‍નીકલ સ્‍ટાફે મરામર કરી એક કલાક બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. ડબ્‍બા નીચેના પૈડાના લાઈનર જામ થઈ જતા ધુમાડો શરૂ થયો હતો. ફાટકમેનની સમય સૂચકતા આધિન મોટી દુર્ઘટના થતા પહેલા ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ઈન્‍દરો જતી બરોડો એક્‍સપ્રેસ ટ્રેન વલસાડ સ્‍ટેશને થોભી હતી. ત્‍યારબાદ ટ્રેન રાબેતા મુજબ રવાના થઈ હતી. થોડાક સમય બાદ કુંડી ફાટક મેન ક્રોસ કરી હતી ત્‍યારે ફાટકમેને ટ્રેનના એક ડબ્‍બા નીચેધુમાડા આવતા જોયા, તુરંત ડુંગરી રેલ્‍વે માસ્‍ટરને તેણે જાણ કરી દેતા ટ્રેન અટકાવી દેવાઈ હતી. ડુંગરી સ્‍ટેશન માસ્‍ટર ઈમરજન્‍સીની જાણ વલસાડ સ્‍ટેશને કરી દેતા તુરંત રેલ્‍વે અધિકારીઓ ટેક્‍નીકલ સ્‍ટાફ સાથે દુર્ઘટના યાન રવાના થઈ હતી. ડુંગરી સ્‍ટેશન ઉપર ટ્રેનને ચેક કરતા પૈડાના લાઈનર જામ થઈ રહ્યા હતા. તેથી ધુમાડો આવતો હતો. એક કલાકની મરામત બાદ ટ્રેન રવાના થઈ હતી. દરમિયાન બરોડા તરફ જતો ટ્રેન વહેવાહ એક કલાક ખોરવાયો હતો.

Related posts

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ

vartmanpravah

વાપી ચલા દમણ રોડ ઉપર કાર્યરત લોકમેળાની વહિવટી તંત્રએ તપાસણી બાદ ચાલુ રાખવાની છૂટ આપી

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

Leave a Comment