April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: ભાજપા મોવડી મંડળે નિર્ધારિત કરેલી માર્ગદર્શિકા મુજબ આજરોજ ઉમરગામ તાલુકાના સંગઠનમાં તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી માટેની સેન્‍સ પ્રક્રિયા ધોડીપાડા ખાતે હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્‍થિત રહેલા શ્રી રાજેશભાઈ દેસાઈએ ઉમેદવારો તરફથી રજૂ કરેલા ઉમેદવારી પત્રકો અને ઉમેદવારોના બાયોડેટા ચકાસી વર્ગીકરણની કામગીરી નિર્વિવાદ રીતે પૂર્ણ કરી હતી. ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખના હોદ્દા માટે 13 ફોર્મ અને ઉમરગામ શહેર પ્રમુખના હોદ્દા માટે 8 ફોર્મ રજૂ થવા પામ્‍યા હતા. પરંતુ મોવડી મંડળે નક્કી કરેલા ક્રાઇટ એરિયા મુજબ કેટલાક ઉમેદવારોના ફોર્મ અમાન્‍ય થવા પામ્‍યા હતા. અંતે ઉમરગામ તાલુકા સંગઠનના પ્રમુખના દાવેદાર માટે શ્રી અંકુરભાઈ પટેલ, ડોક્‍ટર નિરવ શાહ, શ્રી શૈલેષ ભાઈ નાનુભાઈ ધોડી, શ્રી ધવલભાઈ ભાનુશાલી અને શ્રીમતી મયુરીબેન બારીયા આમ પાંચ ફોર્મ માન્‍ય રાખવામાં આવ્‍યા હતા એવી જ રીતે ઉમરગામ શહેર માટે આઠ ફોર્મ રજૂ થવા પામ્‍યા હતા. જેમાં શ્રી મયંકભાઈ પ્રેસવાલા, શ્રીમતિ જશુમતીબેન દાંડેકર, શ્રી દિગેશભાઈ દુબળા, શ્રીભાવિનભાઈ હળપતિ અને શ્રી હિતેશભાઈ યાદવ એમ પાંચ ફોર્મ માન્‍ય રાખવામાં આવ્‍યો હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. હવે નજીકના ભવિષ્‍યમાં માન્‍ય રાખવામાં આવેલા ઉમેદવરી ફોર્મમાંથી પ્રમુખોની પસંદગી કરવામાં આવશે.

Related posts

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્‍તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah

Leave a Comment