October 21, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

દાનહ અને દમણની મુલાકાત લેતા અનુ.જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી અશોક ખટરમલ
પ્રદેશના અનુ.જાતિ મોર્ચાના સંગઠનથી પ્રદેશ પ્રભારી પ્રભાવિત
દરેક પંચાયતોને સ્‍વચ્‍છતા મહિલા સશક્‍તિકરણ આરોગ્‍ય સહિતના અનેક કામો માટે દમણવાડા ગ્રામ પંચાયતનું અનુકરણ કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલની હાકલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી અશોક ખટરમલ આજે એક દિવસના પ્રદેશ પ્રવાસે આવ્‍યા હતા. જ્‍યાં તેમને પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પદાધિકારીઓ સહિતવિવિધ આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્‍યું હતું.
પ્રદેશ ભાજપ કાર્યાલય દમણ ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે અનુ.જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી અશોક ખટરમલનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્‍થિત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પદાધિકારીઓને સંબોધિત કરતા શ્રી અશોક ખટરમલે જણાવ્‍યું હતું કે, મને પ્રદેશમાં અહીંની સંગઠન રચના જોઈ ખુશી થઈ. આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છે. આઝાદી બાદ કોંગ્રેસે આપણા દલિતોનો ફક્‍ત વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે, પરંતુ હવે મોદીજીની સરકારે અનુ.જાતિ સમાજના ઉત્‍થાન અને ઉધ્‍ધાર માટે અનેક યોજનાઓનું અમલીકરણ કર્યું છે. મોદી સરકાર પંડિત દીન દયાળના અંત્‍યોદયના સિદ્ધાંત ઉપર ચાલી સમાજની અંતિમ પંક્‍તિમાં બેઠેલા વ્‍યક્‍તિ સુધી સરકારી યોજનાઓને પહોંચાડવામાં આવે છે અને તેના માધ્‍યમથી આપણા સમાજને ખુબ લાભ પહોંચી રહ્યો છે.
આ પ્રસંગે સ્‍વાગત વક્‍તવ્‍યમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે જણાવ્‍યું હતું કે, અમારા પ્રદેશમાં અનુ.જાતિ મોર્ચો ખુબ મજબુત બનીને ઉભરી રહ્યો છે. અમે દરેક સમાજનેસાથે રાખીને ચાલીએ છીએ. બિન અનામત બેઠકો ઉપર પણ આપણે અનુ.જાતિના લોકોને ભાજપની ટિકીટ આપી સરપંચ અને નગરપાલિકાના કાઉન્‍સિલર પણ બનાવ્‍યા છે. પ્રધાનમંત્રીની યોજનાઓ અને ઉપલબ્‍ધિઓને આપણે દરેકે જન જન સુધી પહોંચાડવાની છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે બેઠકમાં ઉપસ્‍થિત દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના કામોની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, આપણે તેમના કામથી દરેકે ગૌરવાંન્‍તિ થવું જોઈએ. બિન અનામત બેઠક ઉપર વિજેતા બની શ્રી મુકેશ ગોસાવી આવકારદાયક અને અનુકરણીય કામ કરી રહ્યા છે. તેમણે દરેક પંચાયતોને સ્‍વચ્‍છતા, મહિલા સશક્‍તિકરણ, આરોગ્‍ય અને એવા અનેક કામો માટે દમણવાડા ગ્રામ પંચાયતમાં થઈ રહેલા કામોનું નિરીક્ષણ કરવા અને પોતાની પંચાયતોમાં તેનું અનુકરણ કરવા પણ હાકલ કરી હતી.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી અશોક ખટરમલનું શાબ્‍દિક સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, આપણા પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ધડમૂળથી પરિવર્તન થયું છે. અહીંના વિકાસ પુરૂષ શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં અને પ્રધાનમંત્રી શ્રી મોદીના આશીર્વાદથી પ્રદેશની કાયાપલટ થઈ છે. તેમણે જણાવ્‍યું હતું કે, માહ્યાવંશી સમાજ શરૂઆતથી જ મારા દિલમાં વસે છે અને હું આસમાજથી ખુબ પ્રભાવિત છું. મને ખુશી છે કે પ્રદેશમાં સમાજે દરેક ક્ષેત્રમાં અકલ્‍પનીય વિકાસ કર્યો છે અને તેમણે કોઈપણ જરૂરિયાત હોય તો 24 કલાક મદદ માટે તત્‍પર હોવાની ભાવના પણ દર્શાવી હતી.
પ્રારંભમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાએ આભાર પ્રગટ કરી પદાધિકારીઓને દિશા-નિર્દેશ અને માર્ગદર્શન આપ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી હિતેશ લાડ, પ્રદેશ પ્રવક્‍તા શ્રી મજીદભાઈ લધાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અનુ.જાતિ મોર્ચાના દરેક પ્રદેશ પદાધિકારી, દમણ અને સેલવાસના અનુ.જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રમુખ ચંચળબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment