April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવનારા આરોગ્‍ય કર્મચારીઓને પણ કોરોના સમયમાં રજાના દિવસોમાં કરેલ કામગીરીનો પગાર ચુકવવા ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: સરકાર દ્વારા કોરોના સમયમાં રજાના દિવસો દરમ્‍યાન ફરજ નિભાવનાર આરોગ્‍ય કર્મચારીઓને 130-દિવસનો પગાર ચૂકવવાનું ઠરાવી જે તે કર્મચારીઓના ફરજના દિવસો મુજબ પગાર ચુકવવામાં આવ્‍યો હતો. પરંતુ ખાનગી એજન્‍સીના માધ્‍યમથી આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓને કોરોના સમયમાં રજાના દિવસોમાં કરેલ કામગીરીનો પગાર ચૂકવાયો નથી. સરકારના આવા ભેદભાવ ભર્યા વલણ સામે અંદરખાને રોષ પણ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાં વોર્ડ બોય, આયા, પટાવાળા, ડ્રાઇવર, એનએનએમ, સ્‍ટાફ નર્સ, કેશ રાઇટર, ક્‍લાર્ક, લેબ ટેક્‍નિશિયન સહિત 54-જેટલા અને જિલ્લાભરમાં કુલ-225 જેટલા કર્મચારીઓ આઉટ સોસિંગ થી ફરજ બજાવે છે. આજ પ્રકારે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં પણ આઉટ સોસિંગ કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે.
ત્‍યારે આ આઉટ સોર્સિંગના કર્મચારીઓએ પણ કોરોનાના કપરા સમયમાં પોતાના અને પરિવારની ચિંતા કર્યા વિના રજાના દિવસોમાં પણફરજ બજાવી હોય ત્‍યારે આવા કર્મચારીઓને પણ રજાના દિવસોનો પગાર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સરકાર દ્વારા કાયમી કર્મચારીઓને કોરોના સમયમાં રજાઓ દરમ્‍યાન બજાવેલ ફરજનું વેતન ચૂકવાયું હોય ત્‍યારે એક ખોળ અને બીજાને ગોળ જેવી ભેદભાવ ભરી નિતિરીતિ સામે અનેક સવાલો ઉભા થવા સાથે નારાજગી પ્રવર્તી રહી છે. ત્‍યારે સરકાર દ્વારા હકારાત્‍મક અભિગમ રાખી આઉટ સોર્સિંગના કર્મચારીઓને પણ રજાનો પગાર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related posts

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવના પાંચમા વિલીનીકરણ દિવસ નિમિત્તે સંઘપ્રદેશના સર્વાંગી વિકાસનો સૂર્યોદયઃ નવી આશા-આકાંક્ષાનો જયઘોષ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસીની હૂબર કંપનીમાં મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

અમદાવાદ એલસીબીએ રૂ.27.97 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચીખલીમાં મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ જેટલા રીઢા ચોરોને દબોચી લીધા

vartmanpravah

Leave a Comment