April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

અગ્રણી સચિનભાઈ માછી અને એમના મિત્રોએ પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારની કરેલી યજમાનગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: હાલમાં મુંબઈ ખાતે સ્‍થાયી થયેલા અને સફળતાનું શિખર સર કરનાર તેમજ રાજકીય વગ ધરાવનાર શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમનો પરિવાર આજરોજ એમની જન્‍મભૂમિ ઉમરગામની મુલાકાતે આવ્‍યા હતા. શ્રી પ્રશાંતભાઈ કારૂલકરના આગમનની જાણકારી ઉમરગામના અગ્રણી તેમજ મિત્ર વર્તુળોમાં પ્રાપ્ત થતા ઉમરગામ પથકમાં ઉત્‍સાહ ભર્યું વાતાવરણ સર્જાવા પામ્‍યું હતું. શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારનું અગ્રણીઓ, સામાજિક સંગઠનો તેમજ ઉદ્યોગપતિઓ અને ડેવલપ ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ઉમેળકાભેર સ્‍વાગત કરી મુલાકાતનો આનંદ મેળવ્‍યો હતો.
શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારની ઉમરગામના અગ્રણી અને માછી સમાજના આગેવાન શ્રી સચિનભાઈ માછીએ મહેમાનગતિ કરવાની તક ઝડપી હતી. બપોરના સમયે શ્રી પ્રશાંતભાઈ કારૂલકર એમના વિશાળ કાફલા સાથે શ્રી સચિનભાઈ માછીના નિવાસ્‍થાને આવી પહોંચ્‍યા હતા જ્‍યાં ઉમરગામના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓએ મુલાકાત કરી હતી. આ પ્રસંગેશ્રી પ્રશાંતભાઈ કારૂલકરે આવનારા દિવસમાં ઉમરગામ તાલુકામાં અનેક મોટા વિકાસના પ્રોજેક્‍ટ આવી રહ્યા હોવાના સંકેત આપ્‍યા હતા. એમણે શ્રી સચિનભાઈ માછીની વિકાસશીલ વિચારધારાની પ્રશંસા કરી હતી.
અત્રે નોંધનીય છે કે શ્રી પ્રશાંતભાઈ કારૂલકરને ભારતીય નૌકાદળના વાઈસ એડમીરલ દ્વારા સર્વોચ્‍ચ નાગરિક પ્રશસ્‍તિ પત્રથી પણ સન્‍માનિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત બિઝનેસ ટાઈકુન રતન ટાટા દ્વારા એબીસીઆઈ એવોર્ડ પ્રસ્‍તુત કરવા માટે મુખ્‍ય અતિથિ તરીકેનું સ્‍થાન આપવામાં આવ્‍યું હતું. સરકારમાં કેન્‍દ્રીય પ્રધાનો જોડે પણ નજીકથી સંકળાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં દવાની 13 દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે આત્‍મ વિશ્વાસ હેલ્‍પલાઈનનો પ્રારંભ કરાયો

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

Leave a Comment