March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંકુલમાં નવનિર્મિત ‘‘પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવ ચરણદાસજી બાળભવન” નું ગુરુવારે ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત પ્રી પ્રાઇમરી તથા બાલવાટિકાના બાળકો માટે અદ્યતન સુવિધા સજ્જ ‘‘પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવ ચરણદાસજી બાળભવન” સંપૂર્ણપણે તૈયાર થઈ જતા ગુરુવારે ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવ ચરણદાસજી તથા મેનેજિંગ ટ્રસ્‍ટી જ્‍યાં કપિલ સ્‍વામીના હસ્‍તે આ નવનિર્મિત ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. શાષાોત મંત્રોચાર સાથે આ ભવનને ખુલ્લુ મુકાયું હતું. નર્સરીથી ધોરણ-2 સુધીના વિદ્યાર્થીઓ આ બાળભવનમાં સંસ્‍કારયુક્‍ત આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરશે.
માં સરસ્‍વતી તથા રાધાકળષ્‍ણજી અને ભગવાન સ્‍વામિનારાયણનું પૂજન અને દીપ પ્રાગટય સાથે શ્‍લોક અને ભજન બાદ નાના ભૂલકાઓ દ્વારા હનુમાન ચાલીસા બોલાવી વાતાવરણ દિવ્‍ય બનાવી દીધું હતુ. પૂજ્‍ય માધવ સ્‍વામી તથા પૂજ્‍ય રામ સ્‍વામી દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં વર્તમાન સમયમાં શિક્ષણ સાથે કેવા ઘડતરની જરૂરિયાત છે તે સમજાવી આ ભવન થકી તે સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્‍યકત કરી હતી. પૂજ્‍ય કપિલ સ્‍વામીજીએ આ નવનિર્મિત ભવનમાં શ્રેષ્ઠ શિક્ષણ સાથે નવો અભિગમને સાકાર કરવા કોઈ કચાસ નહી છોડાય તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કરી વિદ્યાર્થી તથા શિક્ષકગણને અભિનંદન પાઠવ્‍યા હતા. પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીએ આશીર્વચન આપ્‍યાહતા.
નવા બાળભવનને પ્રિ પ્રાયમરીનાં આચાર્ય શ્રીમતી નીતુ સિંહ તથા બાળવાટીકા પ્રિન્‍સિપાલ શ્રીમતી આશા દામાનાં માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ દ્વારા સજાવી બાળકોને આ નવા ભવનમાં ઉત્‍સાહભેર આવકાર્યા હતા.

Related posts

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

ચીખલીનાં સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકો વિફર્યા : કામ બંધ કરાવ્‍યું

vartmanpravah

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment