July 17, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ અથાલ ગામે અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૭: દાનહ અથાલ ગામે ઍક કંપની નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા યુવાનનું ઘટના સ્થળ પર મોત થયુ હતું.
પ્રા વિગત અનુસાર વિપુલ અમૃત પાટકર (ઉ.વ.૨૧) રહેવાસી ચીરાપાડા અથાલ જે મેલીનીયમ માર્બલ કંપનીમા નોકરી કરે છે. જેની રજા હોવાથી અથાલ ચોકડી પાસે પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર ડીઍન-૦૯-ડબ્લ્યુ-૧૦૪૪ પરિવારના માટે નાસ્તો લેવા નીકળ્યો હતો. પરત ફરતી વખતે પ્રિન્સ પાઈપ કંપની નજીક મુખ્ય રસ્તાની હાલત ખરાબ હોવાને કારણે અચાનક બાઈક પરથી બેલેન્સ ગુમાવી દેતા સામેથી આવતી ટ્રક નંબર ડીડી-૦૩-ઍચ-૯૮૨૫ સાથે ટકરાયો હતો અને બાઈક સાથે પાછળના ટાયરમા ફસાઈ ગયો હતો.જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, અથાલ ચોકડીથી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરફનો રસ્તો વરસાદને કારણે ઍકદમ જર્જરિત થઇ ગયેલ છે. આ રસ્તા પર મોટા મોટા ખાડા પડેલા છે જેને કારણે નાના મોટા અકસ્માતો થતા રહે છે. આજની ઘટનામાં પણ રસ્તા પર પડેલ ખાડાના કારણે યુવાનનું બાઈકનું બેલેન્સ ગુમાવતા પોતાનો જીવ ગુમાવવો પડયો છે. સેલવાસ પોલીસ દ્વારા બાઈક અને ટ્રકનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

Leave a Comment