Vartman Pravah
સેલવાસ

દાનહ અથાલ ગામે અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૭: દાનહ અથાલ ગામે ઍક કંપની નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા યુવાનનું ઘટના સ્થળ પર મોત થયુ હતું.
પ્રા વિગત અનુસાર વિપુલ અમૃત પાટકર (ઉ.વ.૨૧) રહેવાસી ચીરાપાડા અથાલ જે મેલીનીયમ માર્બલ કંપનીમા નોકરી કરે છે. જેની રજા હોવાથી અથાલ ચોકડી પાસે પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર ડીઍન-૦૯-ડબ્લ્યુ-૧૦૪૪ પરિવારના માટે નાસ્તો લેવા નીકળ્યો હતો. પરત ફરતી વખતે પ્રિન્સ પાઈપ કંપની નજીક મુખ્ય રસ્તાની હાલત ખરાબ હોવાને કારણે અચાનક બાઈક પરથી બેલેન્સ ગુમાવી દેતા સામેથી આવતી ટ્રક નંબર ડીડી-૦૩-ઍચ-૯૮૨૫ સાથે ટકરાયો હતો અને બાઈક સાથે પાછળના ટાયરમા ફસાઈ ગયો હતો.જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, અથાલ ચોકડીથી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરફનો રસ્તો વરસાદને કારણે ઍકદમ જર્જરિત થઇ ગયેલ છે. આ રસ્તા પર મોટા મોટા ખાડા પડેલા છે જેને કારણે નાના મોટા અકસ્માતો થતા રહે છે. આજની ઘટનામાં પણ રસ્તા પર પડેલ ખાડાના કારણે યુવાનનું બાઈકનું બેલેન્સ ગુમાવતા પોતાનો જીવ ગુમાવવો પડયો છે. સેલવાસ પોલીસ દ્વારા બાઈક અને ટ્રકનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

દિલ્‍હી રાજપથ પર પરેડનું નેતૃત્‍વ કરનાર દીવની કુ. સિદ્ધિ રમેશ બારિયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

Leave a Comment