February 4, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.18
ચીખલીમાં એક ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું હતું. સમરોલીના કોકો પટેલ પર્સમાં રાખેલ વિઝીટિંગ કાર્ડ અને મા-બાપની તસ્‍વીર અને ટ્રક ચાલકની માનવતાને પગલે પર્સ શી સલામત મળ્‍યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલીમાં વાય.એન.ધાનાણી રોડ બિલ્‍ડર્સનો ટ્રક ચાલક સંજયસિંહ બળવંતસિંહ પરમાર (મૂળ રહે.કુકેરી તા.ચીખલી) રવિવારના રોજ સવારના સમયે ટ્રક લઈને ધોલાઈ બંદર તરફ જઇ રહ્યા હતા.તે સમય દરમ્‍યાન ચીખલી-બીલીમોરા માર્ગ ઉપર મજીગામની સીમમાંટ્રકમાં પંકચર થતા ઉભી રાખી હતી. તે સમયે રસ્‍તાની બાજુમાંથી એક પર્સ તેમને નજરે પડતા તેમાં વિવિધ બેંકના ત્રણેક જેટલા એટીએમ કાર્ડ,રોકડ રકમ અને અન્‍ય ડોકયુમેન્‍ટ હતા. આ પર્સમાં એક મીડિયા કર્મીનો વિઝીટિંગ કાર્ડ અને ફોટો મળી આવતા તેના આધારે આ ટ્રક ચાલક સંજયસિંહ પરમારે આ પર્સના માલિકનો સમરોલીના જીગર પટેલ ઉર્ફે કોકોનો સંપર્ક કરી સહી સલામત પર્સ પરત કરી આ ટ્રક ચાલકે માનવતા મહેકાવી હતી.
કોકો પટેલ પણ પર્સ ખોવાઈ જતા એક સમયે ચિંતાગ્રસ્‍ત થઈ એટીએમ કાર્ડ બ્‍લોક કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે પર્સમાં નજીકના વ્‍યક્‍તિનો વિઝીટિંગ કાર્ડ અને પિતા શંકરભાઈ ગેરેજવાલા અને માતા સવિતાબેનનો સયુંકત તસ્‍વીર રાખી હતી. માતા-પિતા પ્રત્‍યેનો લગાવ ફળ્‍યો હતો. આમ તો આજના યુવાનો ખાસ કરીને મા-બાપની તસ્‍વીર પર્સમાં ભાગ્‍યે જ રાખતા હોય છે. કોકોને માતા-પિતાની તસ્‍વીરથી અને ટ્રક ચાલકની માનવતાને પગલે પર્સ સહી સલામત પરત મળ્‍યું હતું.

Related posts

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

Leave a Comment