April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

દર્દીઓને ફોલિક એસિડ, મલ્ટી વિટામિન અને હાઇડ્રોક્સી યુરીયા દવા નિ:શુલ્ક આપવામાં આવી

રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી દરેક સહાય અને યોજના અંગે પણ માહિતી આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૧: વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ૫૨ (બાવન) જેટલાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસણી થઈ હતી. જેમાં સુરતના બાળ આરોગ્ય નિષ્ણાંત ડો. નિરવ બૂચ દ્વારા દર્દીઓની શારીરિક અને માનસિક તપાસ કરવામાં આવી હતી. આ સિવાય લોહીની તપાસ, હિમોગ્લોબીન, બ્લડ ગ્રુપ અને હિપેટાઇટિસની પણ તપાસ કરવામાં આવી હતી. સિકલસેલ બીમારીનું સાહિત્ય દરેક દર્દીઓને આપવામાં આવ્યું હતું.
ભારત સરકારના સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમમાં દરેક દર્દીઓને સંતુલિત આહારના જીવંત પ્રદર્શન હેઠળ દર્દીઓને યોગ્ય ખોરાકની સમજૂતી આપવામાં આવી હતી. જેમાં કઠોળ, લીંબુ, આમળાં, સરગવો, મેથી, પાલક, ટામેટાં પ્રદર્શનમાં રાખીને સ્ટાફ દ્વારા પ્રાયોગિક જાણકારી આપી હતી. ટેલિવિઝનના માધ્યમ દ્વારા સિકલસેલ રોગની સમજૂતી, યોગ્ય સાવચેતીનાં પગલા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જૈવિક ખોરાક તરીકે એક કિલો ગોળ દરેક દર્દીઓને ભેટ રૂપે આપવામાં આવ્યો હતો. સિકલસેલ ડીસીઝ ધાત્રી માતાનો જન્મદિવસ પણ આ કેમ્પમાં ઉજવવામાં આવ્યો હતો. દર્દીઓને થતી તકલીફ માટે સુરત ખાતે પણ જરૂરી દર્દીઓને આગળની તપાસ માટે આયોજન થયું હતું. વધુ તપાસ માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યાં હતા. દરેક દર્દીઓને ફોલિક એસિડ, મલ્ટી વિટામિન અને હાઇડ્રોક્સી યુરીયા દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી દરેક સહાય અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર ચણવઇના દરેક સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ડૉ. નિરવ બૂચ મારફત સિકલ સેલનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યુ હતું.

Related posts

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ-જનજાતિય ગૌરવ સપ્તાહના ઉપલક્ષમાં દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ-ઈંગ્‍લિશ મીડિયમમાં જનજાતિય સમુદાયની સંસ્‍કૃતિ ઇતિહાસ અને પ્રભાવના વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment