(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સેલવાસના ડોકમરડી વિસ્તારમાં આવેલ અક્ષર સ્કૂલ નજીક લકઝરી બસ પલ્ટી મારતા તેમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ સીલીથી સેલવાસ તરફ કંપનીના કામદારોને લઈ જઈ રહેલ રાજલક્ષ્મી ટ્રાવેલ્સની મીની બસ નંબર ડીએન-09-એમ-9414 પરત આવી રહી હતી તે વેળાએ ડોકમરડી અક્ષર સ્કૂલ નજીક રસ્તાના સાઈડ પર કરેલ ખોદકામના કારણે બસનું બેલેન્સ ના રહેતા પલ્ટી મારી ગઈ હતી. જેમાં સવાર પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ આવી પહોંચી હતી અને ઘાયલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.