(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈપટેલ દ્વારા કેન્દ્રીય રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે લેખિત રજૂઆત કરી હતી.
વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો પર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગે મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક રજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને વલસાડમાં વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તારપૂર્વક લેખિત રજૂઆત કરી હતી.