April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

પ્રદેશ ભાજપના મહામંત્રી બનેલા સુનિલ પાટીલ પૂર્વ પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના ખુબ જ નજીકના કાર્યકર હોવાની ગણના

શ્રી સુનિલ પાટીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે મહામંત્રી શ્રી મનિષ દેસાઈને હટાવી તેમના સ્‍થાને શ્રી સુનિલ પાટીલની નિયુક્‍તિ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે કરી છે. હાલમાં દાદરા નગર હવેલીના શ્રી મહેશ ગાવિત પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે અને શ્રી સુનિલ પાટીલ પણ દાદરા નગર હવેલીના હોવાથી ફરી એક વખત દાદરા નગર હવેલીને જ બંને મહામંત્રીઓ માટે તક આપી છે.
શ્રી સુનિલ પાટીલની ગણતરી પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરના ખુબ જ નજીકના કાર્યકર તરીકે થાય છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે તેમનો ચહેરો પણ નવો હોવા છતાં પ્રદેશ મહામંત્રી શ્રી મહેશ ગાવિતની સાથે પક્ષને સબળ નેતૃતત્‍વ આપશે એવી આશા રાખવામાં આવી રહી છે.

Related posts

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

Leave a Comment