Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાટ, ઘોટણ, કરચોંડ, વાડી અને વાવર ખાતે તા.8મી ઓક્‍ટોબરના રોજ પાણી પુરવઠા અને જળ સંપત્તિ, નર્મદા, કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂ.81 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ડાંગ અને વલસાડના સાંસદશ્રી ડૉ. કે.સી.પટેલે વિશેષ ઉપસ્‍થિતિ આપી હતી.મંત્રીશ્રીએ કપરાડા તાલુકામાં રૂ.81 કરોડના રસ્‍તાઓ, બ્રીજ, હેન્‍ડપંપ, પેવરબ્‍લોક, નાળાં, કુવા, ચેકડેમ કમ કોઝવે, પૂર સંરક્ષણ દીવાલ, કમ્‍પાઉન્‍ડ વોલ અને વન કુટિર એમ કુલ 198 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં વારોલી તલાટમાં રૂ.15.44 કરોડના 37, ઘોટણમાં રૂ.14.58 કરોડના 46, કરચોંડમાં રૂ.7.06 કરોડના 42, વાડીમાં રૂ.19.78 કરોડના 40, અને વાવરમાં રૂ.24.19 કરોડના 33 કામોનો સમાવેશ થાય છે.

Related posts

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનને ઈજા : ગાલ અને હોઠ ઉપર ગંભીર ઈજાઃ 15 ટાંકા આવ્‍યા

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

ઉમરગામની મહેતા સ્‍કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્‍વરક્ષણ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment