April 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાટ, ઘોટણ, કરચોંડ, વાડી અને વાવર ખાતે તા.8મી ઓક્‍ટોબરના રોજ પાણી પુરવઠા અને જળ સંપત્તિ, નર્મદા, કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂ.81 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ડાંગ અને વલસાડના સાંસદશ્રી ડૉ. કે.સી.પટેલે વિશેષ ઉપસ્‍થિતિ આપી હતી.મંત્રીશ્રીએ કપરાડા તાલુકામાં રૂ.81 કરોડના રસ્‍તાઓ, બ્રીજ, હેન્‍ડપંપ, પેવરબ્‍લોક, નાળાં, કુવા, ચેકડેમ કમ કોઝવે, પૂર સંરક્ષણ દીવાલ, કમ્‍પાઉન્‍ડ વોલ અને વન કુટિર એમ કુલ 198 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં વારોલી તલાટમાં રૂ.15.44 કરોડના 37, ઘોટણમાં રૂ.14.58 કરોડના 46, કરચોંડમાં રૂ.7.06 કરોડના 42, વાડીમાં રૂ.19.78 કરોડના 40, અને વાવરમાં રૂ.24.19 કરોડના 33 કામોનો સમાવેશ થાય છે.

Related posts

કપરાડાના પ્રગતિશીલ યુવા ખેડૂતનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક અચાનક તૂટી પડેલું લીમડાનું ઝાડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment