July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા.25 નવેમ્‍બર (International Day for the Elimination of violence against women) થી 10 ડિસેમ્‍બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમો જિલ્લાના વિવિધ વિસ્‍તારમાં કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત વલસાડ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનાર 3 ભાગમાં રાખવામાં આવ્‍યો છે. આગામી સેમિનાર તા.17-12-24ના રોજ યોજાશે.
આ સેમિનાર પ્રસંગે ઓસીન પારેખ- સાયકો થેરાપીસ્‍ટ અને મેન્‍ટલ હેલ્‍થ ટ્રેનર દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અને બાળકોના કાઉન્‍સિલિંગના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓને ‘‘મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ” વિશે વ્‍યાખ્‍યાન આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી કમલેશ ગિરાસે અને DHEWના કર્મચારીઓ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કર્મચારીઓ, પી.બી.એ.સી. વાપી- કપરાડા- વલસાડ, વિવિધ લક્ષી મહિલા કેન્‍દ્ર વાપી- ઉમરગામના કર્મચારીઓ, જિલ્લાના તમામ પોલીસ સ્‍ટેશનથી સી ટીમનાપોલીસ કર્મચારી, જિલ્લા આરોગ્‍ય ક્‍ચેરીના એડોલેશન કાઉન્‍સિલર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓ, વગેરે ફિલ્‍ડ અને કાઉન્‍સિલિંગના કામ સાથે સંકળાયેલ કર્મચારી હાજર રહ્યા હતા.

Related posts

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની કરેલી જાહેરાત

vartmanpravah

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment