March 28, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાનહ પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયત પરિસર ખાતે ‘આઝાદીનો અમળત મહોત્‍સવ અંતર્ગત’ ભારત સરકારના દિશાનિર્દેશ અનુસાર વાણિજ્‍ય સપ્તાહ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદેશ્‍ય દેશમાંથી નિર્યાત કરનાર ઉત્‍પાદનો અને સેવાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે. જેમાં અપાતી સહાયો અને જાગરૂકતા ફેલાવવાનો છે. આ કાર્યક્રમમાં અલગ-અલગકંપનીઓએ પોતાના સ્‍ટોલ પણ લગાવ્‍યા હતા.
કાર્યક્રમનું ઉદ્‌ઘાટન દાનહ કલેકટર શ્રી સંદીપકુમાર સિંહના હસ્‍તે રીબીન કાપી કરવામા આવ્‍યું હતું. દેશભરના ઉદ્યોગના ઉત્‍પાદનોને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર એક્‍સપોર્ટ કરવા માટે વાણિજ્‍ય સપ્તાહનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં પ્રદેશના ઉદ્યોગપતિઓને પ્રોત્‍સાહન આપવા વાણિજ્‍ય ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો છે.
આ કંપનીઓ દ્વારા લગાવવામા આવેલ સ્‍ટોલોની કલેકટર શ્રી સંદીપકુમાર સિંઘ, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર, પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ સહિત શાળાના વિદ્યાર્થીઓ અધિકારીઓ પદાધિકારીઓ નિહાળ્‍યું હતું.

Related posts

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

પારડી પોલીસનો એક્‍સન પ્‍લાન ખીલી ઉઠ્‍યો: થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રી દરમ્‍યાન 118 જેટલા મદિરા ના શોખીનો જેલ ભેગા: સમગ્ર રાત્રી દરમ્‍યાન પરિવારજનોનો મેળાવડો

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

Leave a Comment