March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં ચોમાસુ ડાંગરની મોટાપાયે ખેતી થતી હોય છે. અને તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય પણ ખેડૂતો કરતા આવેલ છે. આ ઉપરાંત ઘણા ખેડૂતો સિંચાઈના અભાવે ઉનાળુ ડાંગરનો પાક લઈ શકતા નથી. ત્‍યારે આખા વર્ષના અનાજનો મદાર પણ ચોમાસાના ડાંગરના પાક ઉપર જ નિર્ભર હોય છે. સાથે પશુઓ માટે ડાંગરના પુળિયા પણ ઉપલબ્‍ધ થતા હોય ખેડૂતોને ઘાસચારાની પણ ચિંતા હોતી નથી.
ચાલુ સિઝને એકંદરે સારો અને પૂરતા પ્રમાણમાં માફકસર વરસાદ હોય તાલુકામાં ડાંગરનો મહત્તમ પાક સફળ રહ્યો હતો. અને ડાંગરનો પાક તૈયાર થઈ ને ખેતરમાં લહેરાઈ રહ્યો હતો. તે દરમ્‍યાન આખા માસમાં પણહાલે છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા વરસાદમાં ડાંગરના પાકને વ્‍યાપક નુકશાન થવા પામ્‍યું છે.
પવન સાથેના વરસાદમાં ઘણા ગામોમાં ડાંગરનો તૈયાર ઉભેલો પાક પડી જવા સાથે લપેટાઈ જવા પામ્‍યો છે. બીજી તરફ ઘણા ખેડૂતોએ કાપણી કરી નાંખી હતી તે પાક ખેતરમાં પાણી પાણી થઈ જતા પલળી જતા ખેડૂતોની સિઝનભરની મહેનત પર પાણી ફરી વળ્‍યું છે. બીજી તરફ ખેડૂતોએ બિયારણ, ખાતર, મજૂરી પાછળ કરેલ ખર્ચ પણ માથે પડવાની અને ઘણા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્‍થિતિ સર્જાઈ છે.
ઉપરોક્‍ત સંજોગોમાં સરકાર દ્વારા ડાંગરના પાકમાં નુકશાની અંગેનો જરૂરી સર્વે કરાવી જરૂરી સહાય ચુકવવામાં આવે તેવી માંગ ખેડૂત વર્ગમાં ઉઠવા પામી છે.
ફડવેલના તાલુકા પંચાયત સભ્‍ય મહેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા વિસ્‍તારમાં ઘણા ખેડૂતો ડાંગરની કાપણી કરી નાંખી હતી અને તેવામાં છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદથી કાપેલો પાક પલળી જતા ખેડૂતોને ડાંગર અને પુળિયા બન્ને ગુમાવવાની નોબત આવી છે. અને ખર્ચ પણ વ્‍યર્થ ગયો છે. ત્‍યારે ખેતીવાડી શાખા દ્વારા જરૂરી સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે જરૂરી છે.

Related posts

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

Leave a Comment