(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજરોજ ભારતીય જનસંઘના સ્થાપક, શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની 105મી જન્મજયંતી નિમિત્તે, ઘેલવાડ પંચાયતમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં ખેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સિમ્પલબેન પટેલ, ઘેલવાડ પંચાયત સભ્ય રક્ષાબેન, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ, શ્રી સંજયભાઈ મેહલભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી ગુડ્ડુભાઈ, શ્રી જતિનભાઈ, શ્રી સરનભાઈ મિલનભાઈના હોદ્દેદારો, શ્રી પ્રકાશભાઈ, શ્રી જીતુભાઈ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.