April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

ચેતાલીબેન રાજપૂત ઈકોફ્રેન્‍ડલી શ્રીજીનીમાટીની મૂર્તિઓનું સર્જન કરી માટીની મૂર્તિઓ વાપરવાની અપીલ કરી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: માનવ જીવનમાં રિધ્‍ધિ સિધ્‍ધિ સુખ સંપત્તિ અર્પતા ગૌરીપૂત્ર ગણેશજીની પધરામણી આડે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે ત્‍યારે શ્રીજીની મૂર્તિઓ લાવવા-પધારમણીનો દોર સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂ થઈ ચૂક્‍યો છે ત્‍યારે વલસાડની મહિલા મારા ગણેશ માટીના ગણેશ ની મુહિમ ચલાવી રહ્યા છે. નદીની માટીની ઈકો ફ્રેન્‍ડલી શ્રીજીની કલાત્‍મક મૂર્તિઓ બનાવી તેમજ મૂર્તિ બનાવવાનું પ્રશિક્ષણ ઓનલાઈન, ઓફલાઈન આપી રહ્યા છે. જેનો વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
વલસાડ શહેરમાં વસતા એલાઈડ આર્ટ નેશનલ ડીપ્‍લોમા ઈન ફાઈન આર્ટસની ડીગ્રી ધરાવતા ચેતાલીબેન રાજપૂત છેલ્લા 7 વર્ષથી માટી દ્વારા કલાત્‍મક શ્રીજીની મૂર્તિઓ બનાવવાની તાલીમ ઓફ એન્‍ડ ઓનલાઈન પણ આપી રહ્યા છે. અન્‍ય પદાર્થો દ્વારા બનાવાતી મૂર્તિઓ પાણીમાં વિસર્જન થાય ત્‍યારે લાગણીને ઠેસ પહોંચે છે તેથી માટીની મૂર્તિઓ શ્રેષ્‍ઠ છે તેવુ ચેતાલીબેન જણાવી રહ્યા છે. આર.બી.આઈ.ના સી.આઈ.ઓ. અનિરુધ્‍ધી ભટાચાર્ય માટે વુડન આર્ટ કેલેન્‍ડર તેઓ બનાવી આપે છે. તેઓ વુડન આર્ટમાં પણ નિપુણતા ધરાવે છે. પર્યાવરણની જાળવણીની મુહિમખાસ કરીને શ્રીજીની મૂર્તિઓ ઈકો ફ્રેન્‍ડલી બનાવવા ઉપર વિશેષ ધ્‍યાન લોકોનું દોરી રહ્યા છે.

Related posts

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

વલસાડ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો: શનિ-રવિવારે બીચ બંધ રાખવામાં આવશે : સહેલાણીઓનું આગમન શરૂ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

વાપી સ્‍ટાર્ટઅપ સમુદાય દ્વારા વુમન એચીવર્સ એવોર્ડ કાર્યક્રમ યોજાયો: જુદા જુદા ક્ષેત્રની સફળ 8 મહિલાઓને સન્‍માનિત કરાઈ

vartmanpravah

Leave a Comment