June 20, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રામેશ્વર મંદિર રોડ લવાછા ખાતે કોરોના કાળ દરમ્‍યાન સદગત થયેલ મહાત્‍માઓના સ્‍મરણાર્થે ઓએચસી તેમજ કોરોના વોરિયર્સના સહયોગ સાથે રક્‍તદાન અને મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યુ હતુ.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. આ કેમ્‍પમાં 145યુનિટ રક્‍ત એકત્ર થયું હતું.મેડિકલ કેમ્‍પમાં પણ સમાજના લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્‍પમાં મુંબઈથી ખાસ પદાધિકારીઓ ઉપસ્‍થીત રહ્યા હતા. આ શિબિરમાં ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીની ટીમ વલસાડ રક્‍તદાનની ટીમ ભાનુશાલી સમાજના 48 ડોકટરોએ સેવા આપી હતી. શ્રી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા કેમ્‍પને સફળ બનાવવા સહયોગ આપ્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતોમાં વ્‍યાપેલી ચિંતા: કેરી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

vartmanpravah

Leave a Comment