September 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રામેશ્વર મંદિર રોડ લવાછા ખાતે કોરોના કાળ દરમ્‍યાન સદગત થયેલ મહાત્‍માઓના સ્‍મરણાર્થે ઓએચસી તેમજ કોરોના વોરિયર્સના સહયોગ સાથે રક્‍તદાન અને મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યુ હતુ.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. આ કેમ્‍પમાં 145યુનિટ રક્‍ત એકત્ર થયું હતું.મેડિકલ કેમ્‍પમાં પણ સમાજના લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્‍પમાં મુંબઈથી ખાસ પદાધિકારીઓ ઉપસ્‍થીત રહ્યા હતા. આ શિબિરમાં ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીની ટીમ વલસાડ રક્‍તદાનની ટીમ ભાનુશાલી સમાજના 48 ડોકટરોએ સેવા આપી હતી. શ્રી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા કેમ્‍પને સફળ બનાવવા સહયોગ આપ્‍યો હતો.

Related posts

વાપીની વર્તમાન નગરપાલિકાની ગુરૂવારે અંતિમ સામાન્‍ય સભા મળશે : મહાનગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

વહેલી સવારે પારડી ચંદ્રપુર હાઈવે પર ડમ્‍પર અને કન્‍ટેઈનર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ કન્‍ટેઈનર ચાલકનું મોત

vartmanpravah

દીવ વણાંકબારા ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે બેઠક યોજી ‘મોદી સરકાર’ને ફરી જીતાડવા કરેલું આહ્‌વાન

vartmanpravah

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment