બુધવારે ચૈત્ર નવરાત્રિ આઠમ હોવાથી વાપી વિસ્તારમાં અનેક સોસાયટીમાં સામુહિક યજ્ઞ સહિત પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. ભાવિકોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી માતાજીની સેવા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્ર અને આસો નવરાત્રી આઠમ વધુ શ્રધેય ગણાય છે. વાપી રાજ રેસિડેન્સી છરવાડા રોડમાં આયોજિત આઠમ યજ્ઞની ઝાંખી.