Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્‍ય કક્ષાનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસો હાથ ધરાયો

આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ બનશેઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ પટેલની આગેવાની હેઠળ ચાલી રહેલ ગ્રામ્‍ય કક્ષાનો પ્રવાસ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ સંગઠનને મજબૂત કરી આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ જીતવાનો છે. ખાસ કરીને મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સાથે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના દરેક ગામોમાં પ્રવાસ કરી બૂથ સમિતિથી લઈને ગ્રામ સમિતિઓ બનાવી લોકો સુધી પહોંચવાનો પ્રયત્‍ન થઈ રહ્યા છે. ગ્રામ્‍ય કક્ષાએ યોજાયેલ મિટિંગમાં મુખત્‍વે લોકોના પાણીના પ્રશ્નો, જર્જરિત રસ્‍તાઓ, જર્જરિત સ્‍કૂલોના પ્રશ્નો આવી રહ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નો હોવા છતાં કોંગ્રેસને વોટ કેમ ઓછા મળે છે. જેના પર અભ્‍યાસ કરવામાં આવી રહ્યો છે. તાલુકાના માંડવખડક, કુકેરી, ખૂંધ, રૂમલા, વાંઝણા જિલ્લા પંચાયતોના ગામડાઓની મુલાકાત કરી લોકોના પ્રશ્નો સાંભળ્‍યા હતા.
આ પ્રસંગે ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંતભાઇ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઇ પટેલ, કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ, વિપક્ષ નેતા ભીખુભાઇ, મગનભાઈ આમધરા, મહિલા પ્રમુખભાવનાબેન વગેરે પ્રવાસમાં જોડાયા હતા.
આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટોના ઉમેદવારોની શોધ અત્‍યારથી જ ચાલું કરવામાં આવી છે અને દરેક ગામનું સંગઠન મજબૂત કરી આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતી કોંગ્રેસ દ્વારા પ્રમુખ બેસાડવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: પાલિકાના પાથરણા વાળાનો મુદ્દો ગાજ્‍યો અને નિરાકરણ કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

વાપી છીરીના પેટ્રોલ પમ્‍પથી રૂા.5.35 લાખનું ડિઝલ ભરાવી રૂપિયા નહી આપતા ચણોદના ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment