October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ‘‘હિન્‍દી પખવાડા”નો સમાપન અનેઈનામ વિતરણ સમારોહ આનંદ-ઉત્‍સાહ સાથે સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : આજે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા સચિવ શ્રી નિખિલ દેસાઈ અને રાજભાષા સંયુક્‍ત સચિવ શ્રી શિવમ તિવટિયાના માર્ગદર્શન હેઠળ અને રાજભાષા મદદનીશ નિયામક ડૉ. અનિલ કૌશિકના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં ‘‘હિન્‍દી પખવાડિયા”નો સમાપન અને ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત શિવ પ્રકાશ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દિવ્‍ય પૂજનની પ્રસ્‍તુતિ સાથે કરવામાં આવી હતી. આ પછી ડૉ. અનીતા કુમારે હિન્‍દી પખવાડિયા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ પર પ્રકાશ ફેંકીને સૌને આવકાર્યા હતા. ત્‍યારબાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલના શિક્ષકો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમના ભાગરૂપે દેશભક્‍તિના ગીતો રજૂ કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર શ્રી સચિન યાદવ, આઈ.ટી.આઈ.ના પ્રિન્‍સિપાલ શ્રી સૂર્યમણિ મિશ્રા, કોલસા મંત્રાલયની હિન્‍દી સલાહકાર સમિતિના સભ્‍ય ડૉ. પ્રોમિલા ઉપાધ્‍યાય, રાજભાષા મદદનીશ નિયામક ડૉ. અનિલ કૌશિક, ડૉ. અનિતા કુમાર અને હિન્‍દી સ્‍ટેનોગ્રાફર શ્રીમતી નિર્મલા એમ. રોહિતે દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કર્યું હતું.આ પ્રસંગે રાજભાષા મદદનીશ નિર્દેશક ડૉ. અનિલ કૌશિકે તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઓફિસનું મોટાભાગનું કામ રાજભાષા હિન્‍દીમાં કરવું જોઈએ, તે આપણી મૂળભૂત જવાબદારી છે. તેમણે જણાવ્‍યું હતું કે, રાજભાષા વિભાગના સ્‍થાપક અને પૂર્વ રાજભાષા નાયબ નિયાક શ્રી એસ. બી. પટિયાલના માર્ગદર્શન હેઠળ, રાજભાષા વિભાગ દાદરા નગર હવેલીમાં દર વર્ષે હિન્‍દી પખવાડિયાનું આયોજન કરીને હિન્‍દીના પ્રચાર-પ્રસારને પ્રોત્‍સાહન આપવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.
આ પછી હિન્‍દી નિબંધ, હિન્‍દી ભાષણ, હિન્‍દી ટાઈપિંગ, હિન્‍દી ટીકા અને હિન્‍દી ડ્રાફટ રાઈટિંગ, હિન્‍દી દેશભક્‍તિ ગીત અને હિન્‍દી શ્રુતલેખન વગેરે જેવી હિન્‍દી પખવાડા હેઠળની તમામ સ્‍પર્ધાઓના વિજેતાઓને મુખ્‍ય અતિથિ પદે ઉપસ્‍થિત રહેલા સબડિવિઝનલ પોલીસ ઓફિસર શ્રી સચિન યાદવ, આઈ.ટી.આઈ.ના પ્રિન્‍સિપાલ શ્રી શ્રી સૂર્યમણિ મિશ્રા, કોલસા મંત્રાલયની હિન્‍દી સલાહકાર સમિતિના સભ્‍ય ડૉ. પ્રોમિલા ઉપાધ્‍યાય અને રાજભાષા મદદનીશ નિયામક ડૉ. અનિલ કૌશિકના હસ્‍તે પુરસ્‍કારોથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે ઉપ વિભાગીય પોલીસ અધિકારી શ્રી સચિન યાદવે તેમના અધ્‍યક્ષીય પ્રવચનમાં તમામ વિજેતાઓને અભિનંદન આપતાં જણાવ્‍યું હતુંકે, હું રાજભાષા વિભાગને વહીવટના તમામ વિભાગો, કેન્‍દ્ર સરકારની કચેરીઓ, રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ અભિનંદન આપું છું અને ભારતની સંસ્‍થાઓ અને તમામ શાળાઓએ અન્‍ય કોલેજો સાથે સંકળાયેલા ‘‘હિન્‍દી પખવાડિયા”ના ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કર્યું. હિન્‍દી ભાષા દરેકને એકતાના દોરમાં બાંધવાનું કામ કરે છે. તેમણે રાજભાષા વિભાગની પ્રશંસા કરી અને કાર્યક્રમની સફળતા માટે અભિનંદન પાઠવ્‍યા હતા.
કાર્યક્રમના અંતે ડૉ. અનીતા કુમારે કાર્યક્રમનું સંચાલન કરતી વખતે દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં તેમના યોગદાન બદલ, રાજભાષા વિભાગ સેલવાસના શ્રી માહદુ બારિયા, હિન્‍દી અનુવાદક શ્રી સંજય મિશાલ, હિન્‍દી અનુવાદક તથા હિન્‍દી સ્‍ટેનોગ્રાફર શ્રીમતી નિર્મલા એમ. રોહિતનો વિશેષ આભાર વ્‍યક્‍ત કર્યો. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 300 જેટલા લોકો હાજર રહ્યા હતા.

Related posts

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

Leave a Comment